________________
આજે દર્શનનું નવું સ્વરૂપ ચાલે છે, “એપ્લાયડ ફિલોસોફી” એમાં જ્ઞાન અને ક્રિયાનો સમન્વય છે. એ એક રીતનું વ્યાવહારિક દર્શન છે. દર્શન જીવનમાંથી નીકળવું જોઈએ. અમે અહિંસાયાત્રા દરમિયાન જીવન-દર્શનનું વિશેષ અધ્યયન કર્યું. ગ્રંથો-શાસ્ત્રોનું અધ્યયન તો જીવનભર કર્યું પણ આજકાલ જીવનનું અધ્યયન ચાલી રહ્યું છે. આજની જ ઘટના છે, જે રીતે મેં શાહપુરાના બહારના ભાગમાં પ્રવેશ કર્યો, ત્યાં ત્રીસ-ચાલીસ સ્ત્રીઓ-પુરુષો ઊભાં હતાં. એમણે જે વાત કરી તેનાથી પીડા થાય એમ હતું. એમની ભાષામાં દરિદ્રતા હતી. ચહેરા પર હીનતા હતી. કોઈ કવિતા કે વાર્તા માટેનો અત્યંત કરુણાજનક પ્લોટ મળી રહે તેમ છે.
એ લોકોએ કહ્યું, “મહારાજ!અમારી સ્થિતિ બહુ ખરાબ છે. ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો નથી. સડકના કિનારે કંતાન અને ચિંથરાથી ઘર બાંધેલાં છે. અમારે જાણે જિંદગી જેવું કશું જ નથી. અમારી કોઈ ખબર પૂછતું નથી. અમે શું કરીએ? એમની વાત સાંભળી હું વિચારમાં પડી ગયો. આવી સ્થિતિમાં અમે શું કરીએ. વ્યવસ્થાનું દાયિત્વ સરકાર પર છે. અમારા હાથમાં ન તો રાજતંત્ર છે, ન તો અર્થતંત્ર. આખરે અમે એના માટે શું કરી શકીએ? થોડી વારમાં ભંવરલાલજી કોઠારી આવ્યા. તેઓ ગોસેવા આયોગના અધ્યક્ષ છે. મેં એમને કહ્યું, આપે થોડી વાર કરી. થોડી વાર પહેલાં આવ્યા હોત તો હું બતાવત કે સચિવાલયમાં બેઠેલા લોકો દેશ અને પ્રદેશની જે તસવીર સરકાર ચલાવનારને બતાવે છે તે વાસ્તવિક છે કે અવાસ્તવિક? સત્તામાં બેઠેલા લોકો વિધાનસભાઓમાં જે આંકડા રજૂ કરે છે, તસવીર એનાથી બિલકુલ જુદી છે. વિધાનસભામાં પક્ષ-પ્રતિપક્ષ વિકાસના સંબંધમાં એક શબ્દનો મોટા ભાગે પ્રયોગ કરે છે – “સકલ ઘરેલુ ઉત્પાદ' જે કતારમાં સહુથી છેલ્લે ઊભો છે એ માણસ, છેવાડાના માણસ ગરીબીમાં નારકીય જીવ જીવી રહ્યો છે. એમના માટે આ શબ્દોનું શું મહત્ત્વ? શેરમાર્કેટનો સૂચકાટલો ઉપર-નીચે થયો એનાથી ફૂટપાથ પર રહેનાર માણસને શો મતલ
રાષ્ટ્રકવિ દિનકરજી, જેમની સાથે અમારો ગાઢ પરિચય હતો,
૨૪
મહાપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org