________________
પ્રયોગની ગહેરાઈમાં ઉતરતો ગયો, મને લાભ થતો ગયો અને હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે શરીરના કોઈ પણ અંગ સાથે વાતચીત થઈ શકે છે, એની સાથે દોસ્તી થઈ શકે છે. એને સૂચના આપી શકાય છે અને આપણી વાત કોઈપણ અંગને મનાવી શકાય છે.
મસ્તિષ્કને પણ અગર આપણે રાજી કરી લઈએ, મિત્ર બનાવી લઈએ અને કહીએ કે તું મારું આટલું કામ કરી દે, તો મસ્તિષ્ક પણ આપણને પૂરો સહયોગ આપશે. આ છે ભીતરથી પ્રકાશ પેદા કરવાની વિધિ. એનાથી દરેક પ્રકારની અશાંતિ, પીડા અને દુઃખમાંથી મુક્તિ મળશે. પછી વિશ્વાસપૂર્વક કહી શકાશે કે આનંદ મળી રહ્યો છે. કોઈ આનંદ વહેંચી રહ્યું છે. પછી સહુની સાથે મૈત્રી સંભવ છે. કોઈ પરાયું લાગતું નથી.
આપણે આનંદની શોધ કરીએ. જ્યાં આનંદ મળે છે, એ સ્થાનની શોધ કરીએ અને વીતરાગતા અને ઉપશમનું એવું વાતાવરણ નિર્માણ કરીએ જ્યાં ચોતરફ આનંદ જ આનંદનું સ્ફુરણ થાય. એવી સ્થિતિ આપણા માટે સાચા અર્થમાં આધ્યાત્મિક વિકાસની પરિસ્થિતિ બની શકે છે.
૧ જૂન
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રત વાણી www.jainelibrary.org