________________
બીજી જગ્યાએ ઠાલવી શકાય. અંધકારને લાઠીથી ફટકારીને પણ હટાવી ન શકાય. અંધકાર દૂર કરવાની એક નિશ્ચિત પ્રક્રિયા છે. જે રીતે બહારના અંધકારને દૂર કરવાની પ્રક્રિયા છે એ રીતે જ ભીતરના અંધકારને દૂર કરવાની પણ એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાંથી પસાર થયા વગર મનનો અંધકાર દૂર થઈ શકતો નથી. મનના અંધકારને દૂર કરવાનું એક સાધન છે ઉપશમની સાધના. ઉપશમનો આ દીપક દરેક વ્યક્તિના મસ્તિષ્કમાં છે. લોકો કહે છે હૃદયમાં છે, હું કહીશ કે એ દીપક મસ્તિષ્કમાં છે, આપણે તેને પ્રજ્વલિત કરતા શીખી જઈએ. આપણે પરસ્પર વાતચીત કરવાનું જાણીએ છીએ પણ આપણે આપણાથી એકદમ નિકટ છે એવા મસ્તિષ્ક સાથે વાત કરવાનું જાણતા નથી. અગર મસ્તિષ્ક સાથે સંવાદ કરતા આવડી જાય, એની પાસેથી સહયોગ લઈએ, અપીલ કરતા શીખી જઈએ અને તેને નિવેદન કરીએ કે લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ આદિ કષાયોના અંધકારથી આપણા મનને મુક્ત કરે તો નક્કી મસ્તિષ્ક આપણા નિવેદન પર ધ્યાન આપશે, આપણને સહયોગ આપશે. મસ્તિષ્ક પોતાનું કામ શરૂ કરી દેશે તો પછી ભીતરનો અંધકાર વધારે દિવસ સુધી નહીં રહે, પછી તેને ત્યાંથી કાઢવાનો જ રહેશે.
હું જ્યારે નાનો હતો ત્યારે પ્રાકૃતિક ચિકિત્સકની સેવા લેવાની થઈ હતી. એ કુશળ પ્રાકૃતિક ચિકિત્સક હતા. સેવાવ્રતી અને સદ્ભાવી પણ હતા. એક દિવસ મેં કહ્યું, “કબજિયાત થઈ છે.” એ ચિકિત્સકે મને કહ્યું કે, એના માટે આપ એક પ્રયોગ કરો. ઉત્સર્ગ કરનાર આંતરડા પર હાથ રાખી તેને કહો કે ઉત્સર્ગ ક્રિયાનો નિયામક તું છે. મને કબજિયાતના કારણે તકલીફ થઈ રહી છે. તમે એને સુચારુ ઢબે સંચાલિત કરવાની કૃપા કરો. .
ચિકિત્સકની આ વાત સાંભળી મને હસવું આવ્યું. આંતરડાંને તે વળી કાન છે કે તે મારું નિવેદન સ્વીકારે?! આમ કહેવાથી, કરવાથી તે વળી બીમારી દૂર થાય ખરી?! પણ ચિકિત્સક ખૂબ ગંભીરતાથી મને પ્રયોગ દોહરાવવાનું કહ્યું. મને એનો પરામર્શ માનવામાં ખાસ મુશ્કેલી ન હતી. થોડા દિવસોમાં આશ્ચર્યજનક રીતે મને આરામ મળવાનો શરૂ થઈ ગયો. જેમ-જેમ
આનંદોમે વર્ષતિ વર્ષતિ
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org