________________
–
વૈદિક સાહિત્યમાં બે શબ્દ પર બહુ વિચાર થયો છે - અર્થવાદ અને યથાર્થવાદ, અર્થવાદ એટલે જ્યાં વાતો વધારીને કહેવામાં આવે છે. બુરાઈને દૂર કરવા માટે જ્યાં ભય બતાવવામાં આવે છે. ધર્મ કરશો તો સ્વર્ગ મળશે, ધર્મ નહીં કરો તો નરક મળશે. આ રીતે ભય દ્વારા ધર્મ પ્રત્યે પ્રીતિ જગાવવાનું કામ થાય છે. આજની દુનિયામાં અને ખાસ કરીને ધર્મસ્થાનોમાં આમ જ ચાલે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવાની જરૂર છે.
બીજો છે યથાર્થવાદ. જે જેમ છે એ રીતે જ પ્રસ્તુત કરવો એ યથાર્થવાદ છે. એમાં કશું ઉમેરવાનું હોતું નથી. માણસની પ્રકૃતિ જ એવી થઈ ગઈ છે કે એને સ્વાદમાં ફેરફાર કરીને જે પીરસવામાં આવે છે એ બહુ સ્વાદિષ્ટ લાગે છે. જે વાત વધારીને કહેવામાં આવે છે એને વધારે માફક આવે છે. સીધું કથન ઘણાને ગમતું નથી. યથાર્થવાદની વાત ઘણી કઠિન વાત છે. એ શુષ્ક જણાતી હોવાથી કોઈના દ્વારા પસંદ થતી નથી. દાર્શનિક સત્યની મીમાંસા કરનાર કે તત્ત્વજ્ઞાની યથાર્થવાદનો સ્વીકાર કરી લે છે પણ સામાન્ય માણસ તો અર્થવાદને જ ઉપયોગમાં લાવે છે. જેટલું પણ પૌરાણિક સાહિત્ય લખાયું છે, એમાં અર્થવાદને જ પ્રાધાન્ય છે.
આપણે અર્થવાદથી કઈ રીતે બચી શકાય, યથાર્થ સુધી કઈ રીતે પહોંચવું, આપણે તેની મીમાંસા કરવાની છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, આ અર્થવાદ છે યથાર્થવાદ ? અગર અર્થવાદ છે, ધર્મ સહુથી મોટું મંગલ છે, તો પછી એક તત્ત્વવેતા માટે આ વાક્યનું કોઈ મૂલ્ય નહીં હોય. એ આ વાતને વધારે મહત્ત્વ નહીં આપી શકે. અગર આ વાત યથાર્થ છે તો પછી એક તત્ત્વવેતા માટે બહુ કામની વાત ગણાય.
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એને આપણે અર્થવાદી દૃષ્ટિએ જોઈએ કે યથાર્થવાદી દૃષ્ટિએ. અગર મને કોઈ પૂછે તો હું કહીશ કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, આ યથાર્થવાદના આધારે કહેવાયું છે. આ અતિશયોક્તિપૂર્ણ વાત નથી, આ કોઈ વેપારની વાત નથી. હિન્દુસ્તાનનાં બજારોમાં ભાવ કે મૂલ્યની ચડ-ઉતર બતાવવામાં આવે છે. સો રૂપિયા જેનું મૂલ્ય બતાવવામાં આવે છે, એ અંતે
ધર્મઃ ઉત્કૃષ્ટ મંગલ
Jain Education International
For Private & Personal Use Only
૧૮૩
www.jainelibrary.org