________________
- વાસ્તવિકતા એ છે કે માણસની અંદર પ્રકાશ નહીં હોય તો બહારનો પ્રકાશ એને બહુ રાહત આપતો નથી. સુખી કરી શકતો નથી. ભીતર જ ઘોર અંધકાર ભર્યો હોય તો સઘન લાઇટમાં પણ માણસ અંધકારનો અનુભવ કરશે. ભીતર પ્રકાશ હશે તો ઘોર અંધકારમાં પણ માણસ સુખનો અહેસાસ કરશે. ભીતર અંધકાર હોય અને બહાર ગમે તેટલો પ્રકાશ હોય તેવા માણસને કદી સુખી માણસ તરીકે જોયો નથી. અગર આપણે આજની સામાજિક અને આર્થિક સ્થિતિઓનું વિશ્લેષણ કરીએ તો જણાશે કે જેની અંદર પ્રકાશ નથી, એ માણસ દિવસના ઉજાસમાં પણ પોતે સુખી હોવાનો અનુભવ કરી શકતો નથી.
આ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પ્રશ્ન થયો કે પ્રકાશ કોણ પાથરશે? આ પ્રશ્નનો ટૂંકો અને એક વાક્યમાં જવાબ આપવામાં આવ્યો કે - પ્રકાશ આપશે વિતરાગ. જ્યાં જ્યાં વીતરાગતા છે, ત્યાં ત્યાં પ્રકાશ છે અને
જ્યાં જ્યાં રાગ-દ્વેષની પ્રબળતા છે, ત્યાં ત્યાં અંધકાર છે. માણસની સમસ્યા એ છે કે તે વીતરાગ નથી. વીતરાગ બનવાની સાધના ખૂબ મુશ્કેલ છે. સાધુસંતો માટે પણ મુશ્કેલ છે અને ગૃહસ્થો માટે વધારે મુશ્કેલ છે. પ્રકાશ ક્યાંથી આવે? એના માટે વચલો માર્ગ શોધાયો. એક ઝટકામાં તો માણસ વીતરાગ ન બની શકે, એની ખૂબ લાંબી પ્રક્રિયા છે. ઘોર અવીતરાગ રહેવું એ પણ દુઃખનું કારણ છે. મધ્યવર્તી રસ્તો એ છે કે રાગ-દ્વેષને શાંત રાખીએ, કષાયને ઉપશાંત કરીએ. અગર એમ સંભવ હોય તો માણસ સુખેથી જીવી શકે છે. રાગ-દ્વેષ અને મોહ ક્ષીણ નથી થયા, પણ તીવ્ર પણ નથી, આ સંદર્ભમાં આપણે આખી વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. રાગ-દ્વેષ ન તો તીવ્ર ન તો ક્ષીણ, આ વચલો માર્ગ છે. રાગ-દ્વેષ મંદ છે, મધ્ય છે, તીવ્ર નથી. ત્રણ અવસ્થા હોય છે, મંદ, મધ્ય અને તીવ્ર. જેના રાગ-દ્વેષ તીવ્ર નથી એ પણ એક રીતે વીતરાગકલ્પ થઈ જાય છે, એ દુઃખી થતો નથી.
તેરાપંથ ધર્મસંઘમાં પાંચમા આચાર્ય થયા. તેમનું ગામ મધવા. એમના માટે વીતરાગકલ્પ' શબ્દ પ્રયોજાય છે. તેઓ વીતરાગ ન હતા. વીતરાગતુલ્ય હતા. તેઓ પોતાના જીવનમાં કદી દુઃખી ન થયા. મહારાષ્ટ્રમાં આવા અનેક સંતો
આનંદોમે વર્ષતિ વર્ષતિ
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org