________________
થયા, ઉત્તર ભારતમાં પણ ઘણા સંતો થયા. દક્ષિણ ભારત પણ સંતોની ભૂમિ છે. કબીર પણ એવા મહાપુરુષ હતા. તેઓ સંન્યાસી ન હતા, ઘર-ગૃહસ્થી વાળા હતા પણ એમને સંત કબીર, મહાત્મા કબીર કહેવામાં આવે છે. તેઓ કદી નિરર્થક ઉશ્કેરાટમાં આવતા ન હતા. એક વખત એક માણસે નક્કી કર્યું કે ગમેતેમ કરીને કબીરને આવેશમાં લાવવા છે. તે કબીર પાસે ગયો. કબીર પોતાનું કામ કરી રહ્યા હતા. તેઓ કાપડ વણતા અને વેચતા. એ માણસે કાપડનો એક લાંબો ટુકડો લઈને પૂછ્યું, ‘આ કપડાનું શું મૂલ્ય છે ?'
કબીરે કહ્યું, ‘એક રૂપિયો.'
એ માણસે તરત એ કપડાને અડધું ફાડીને વળી ભાવ પૂછ્યો. કબીરે અડધા ટુકડાનો ભાવ કહ્યો, ‘આઠ આના.’
કબીરની ધીરજની પરીક્ષા લઈ રહેલા માણસે વળી ટુકડાનો ચોથો ભાગ કરી નાખ્યો અને પૂછ્યું, ‘આટલા ટુકડાનું શું મૂલ્ય ?'
બીરે શાંતિથી જવાબ આપ્યો, ‘ચાર આના.’
વળી પેલા માણસે એક આંગળી જેટલો ટુકડો કરીને શાંતિથી જવાબ આપી રહેલા કબીરને પૂછ્યું, ‘આના કેટલા રૂપિયા ?'
બીરે કહ્યું, ‘હવે તેની કિંમત અમૂલ્ય છે.’
દુનિયામાં એવા લોકો ઓછા નથી, જેમના કષાય ખૂબ શાંત છે, મંદ છે, મધ્ય છે કે તીવ્ર નથી. એવા લોકોને સજ્જન કહેવામાં આવે છે. સારા માણસ પણ કહેવાય છે, ‘ઉત્તમ માણસ' પણ કહેવાય છે અને ‘ગૃહસ્થી સંત' પણ કહેવાય છે. સંસારી પણ સ્વભાવથી સાધુ હોય છે. દુનિયાનું ચક્ર ઘણી વખત અવળું માલુમ પડે છે. સાધુઓ ક્યારેક સંસારી જેવા હોય છે અને સંસારી સાધુ જેવા. કબીર એક ગૃહસ્થ સંત હતા. એમનામાં અદ્ભુત સમભાવ હતો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એમના મનમાં ખિન્નતાનો ભાવ આવતો ન હતો.
જેના મનમાં ઉપશમનો આ પ્રકાશ ફેલાઈ ગયો, એને અંધકાર કઈ રીતે
મહાપ્રજ્ઞ વાણી - ૬
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org