________________
સામે પ્રશ્ન એ જ છે કે દુ:ખને ઓછું કેમ કરવું ? આપણો પ્રયત્ન દુઃખ દૂર કરવાની દિશામાં જ હોવો જોઈએ. હું માનું છું કે જ્યાં સુધી મોહ કે મૂર્છાને દૂર કરવાનો કે ઇમોશનને નિયંત્રિત કરવાનો ઉપાય નહિ શીખવામાં આવે ત્યાં સુધી આપણે દુઃખ દૂર નહિ કરી શકીએ. અમે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના સંપર્કમાં પણ રહીએ છીએ. અમે આ બંને વર્ગને તનાવગ્રસ્ત જોયા છે કારણ એટલું જ છે કે આજનું શિક્ષણ આજીવિકામૂલક છે. માતા-પિતા એમ ઇચ્છે છે કે સંતાન ભણી-ગણીને કમાતું થાય. સારો પગાર મળે. સારી નોકરી મળે. અગર પૈસાને જ સર્વસ્વ માની લઈએ તો આજે શિક્ષણના ક્ષેત્રમાં જે કાંઈ થઈ રહ્યું છે, એના પર પ્રશ્નચિહ્ન લગાવવાની જ જરૂર નહિ રહે. પૈસો સર્વસ્વ નથી, કા૨ણ કે પૈસાવાળા પણ દુ:ખી જ થાય છે. ધનવાનોની પીડા ઓછી નથી હોતી. પૈસો બધાં દુઃખો દૂર કરે છે એમ નથી. કરોડપતિઓને આપણે આંસુ વહાવતા જોયા છે. ધનવાનો પણ દુઃખ અને તનાવથી મુક્ત નથી.
આપણો બધો પ્રયત્ન અને પુરુષાર્થ માત્ર ધનપ્રાપ્તિની દિશામાં જ કેમ હોય ? માત્ર આજીવિકા મેળવવા માટે જ કુશળ બનવાની વાત કેમ આપણા દિલ-દિમાગમાં જ આવે છે ? જ્ઞાનકુશળ અને આચરણકુશળ બનવાની વાત કોઈના મનમાં કેમ નથી આવતી ? આ અદ્ભુત વાત છે. આજની યુવા પેઢી પોતાના આદર્શ તરીકે ફિલ્મ સ્ટાર્સને કે ખેલજગતની કોઈ હસ્તિને જ કેમ માને છે ? કારણ સ્પષ્ટ છે કે ગ્લેમર. કોઈ ગાંધી, સુભાષ કે વિવેકાનંદ બનવાનું વિચારતું નથી. રાજસ્થાન યુનિવર્સિટીમાં હું ગયો. ત્યાં ફિલોસોફી વિભાગમાં પ્રોફેસ૨ ભણાવતા હતા અને માત્ર દસ-બાર વિદ્યાર્થીઓ બેઠા હતા. બાયોલોજી, ફિઝિક્સ કે કેમેસ્ટ્રીના વિભાગો અને વર્ગો ભરચક હોય છે કારણ કે તે આજીવિકામાં મદદ કરનાર વિષય છે. આ વિષયોમાં ઘણી સંભાવનાઓ છે.
એનું તાત્પર્ય એ છે કે સત્ય અને વાસ્તવિકતાની સાથે માણસને વધારે સંબંધ રહ્યો નથી. જીવન અને તેની જરૂરતોને સમજવાનો પણ પ્રયત્ન થતો નથી. કેન્દ્રમાં પૈસો જ છે. જીવનની સઘળી ગતિવિધિ પૈસાની આસપાસ જ ચાલે છે. જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં સમસ્યાઓ વધવી સ્વાભાવિક છે. મોટા લોકોના
૧૬૪
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રજ્ઞ વાણી
ξ
www.jainelibrary.org