________________
કારનામાઓ અખબારોમાં છપાતા હોય છે. મને આશ્ચર્ય થાય છે કે લોકોની પાસે પુષ્કળ ધન-દોલત હોય છતાં કેમ દુષ્કૃત્યો કરતા હશે ? પણ મૂર્છાવશ જ માણસ એમ કરે છે, જે અકરણીય હોય છે.
"
માત્ર પૈસા માટે જ આપણે સઘળી પ્રવૃત્તિ ન કરવી. પૈસાની સાથે શાંતિપૂર્ણ જીવન જીવવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. આ વિષય પર મેં જેટલો ધર્મશાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કર્યો છે, એટલો જ અર્થશાસ્ત્રીય દૃષ્ટિએ પણ વિચાર કર્યો છે.
મને લાગે છે બંનેનું સંતુલન અને સમન્વય થવું જોઈએ. જીવનવિજ્ઞાનની પ્રણાલી બંનેમાં સમન્વય કરવાનું શીખવે છે. એની સાથે હવે અહિંસા પ્રશિક્ષણને પણ હવે જોડી દીધેલ છે. થોડા સમયમાં જ મળેલી આશ્ચર્યજનક સફળતાએ જીવવિજ્ઞાન અને અહિંસા પ્રશિક્ષણ શિબિરોની માંગ વધારી દીધી છે. આજે સમગ્ર વિશ્વમાં લાઇફ સ્ટાઇલ પર વિચાર થઈ રહ્યો છે. જીવનની ઘણી સમસ્યાઓ જીવનશૈલીના કારણે ઊભી થાય છે. આજકાલ જીવનશૈલી ઘણી સમસ્યાઓના મૂળમાં છે. જેના જીવનમાં અહિંસાનો સંસ્કાર છે, એની જીવનશૈલી ખૂબ સુખદ અને પ્રશસ્ત બની જાય છે. સમગ્ર જીવનમાં પૈસાને જ પ્રાધાન્ય આપનારનું જીવન વેરવિખેર હોય છે. પૈસો સુખનું કારણ નથી તેમ તમામ દુઃખોનું નિવારણ પણ નથી. અહિંસક જીવનશૈલી ભોગવાદથી દૂર રાખે છે. આધુનિક માનવની લાઇફ સ્ટાઇલ પુનર્વિચાર માગી લે છે. સ્વસ્થ, શાંત અને નિરામય જીવન જીવવા માટે જરૂરી છે. જીવનશૈલી પરિવર્તનની. સહજ જીવનનો આનંદ પ્રાપ્ત કરવા માટે જીવનશૈલી ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવનમાં સુખી થવાની જેને ઝંખના છે એમણે માત્ર પૈસાને કેન્દ્રમાં ન રખાય. એવી વ્યક્તિ સહુને માટે શાતાકારક, લાભદાયક અને સુખદાયક નીવડે. વિદ્યાવાચસ્પતિના સમગ્ર પ્રવૃત્તિ કેન્દ્રમાં પણ ધન ન હોય એ સ્થિતિ આદર્શ ગણાય. સાચો વિદ્યાનો ઉપાસક ધનની આસક્તિ છોડે તો તે પોતાનું અને અન્યનું કલ્યાણ કરી શકે.
૨૩ જૂન
સા વિધા યા વિમુક્તયે
Jain Education International
For Private & Personal Use Only
૧૬૫
www.jainelibrary.org