________________
કામ કરે છે. જે વ્યક્તિનું પોતાના સંવેગો પર પૂરું નિયંત્રણ છે, એ ઓછું ભણેલ હોવા છતાં પોતાને આધિન ઘણા માણસોને રાખી શકે છે. એમની પાસે કામ કરાવી શકે છે.”
શિક્ષણના સંદર્ભમાં વિચારણીય વાત એ છે કે ઈમોશનલ ડેવલપમેન્ટ કઈ રીતે થાય? ભાવાત્મક વિકાસ કેમ થાય? એનો શિક્ષણમાં સમાવેશ કેમ થાય? આ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે. નરેશજી દસ વર્ષથી આ કામમાં લાગેલા છે. કેન્દ્રીય જીવનવિજ્ઞાન અકાદમીમાં હજી સુધી સેંકડો શિક્ષકોને તેઓ જીવનવિજ્ઞાનની ટ્રેનિંગ આપી ચૂક્યા છે. આપ એ વાતને નિશ્ચિત માનો કે જ્યાં સુધી ભાવાત્મક વિકાસ થતો નથી, દુઃખી અને અશાંત માણસોની સંખ્યા વધતી રહેશે. હજારો શાળાઓ નવી ખોલવા છતાં પરિસ્થિતિ સુધરશે નહિ. પરીક્ષાનું પરિણામ સારું નહિ આવે કે નિષ્ફળતાના આઘાતમાં આપઘાતની ઘટનાઓ વધતી રહેશે.
સન ૧૯૯૪માં આચાર્ય તુલસી દિલ્હીમાં હતા. દિલ્હીની મૈત્રી કૉલેજમાં જીવનવિજ્ઞાનની શિબિર હતી. જે દિવસે શિબિરનું સમાપન થવાનું હતું એ દિવસે પ્રિન્સિપાલે કહ્યું, શિક્ષણ ક્ષેત્રે ત્રણ દાયકા કામ કર્યું પણ જીવનવિજ્ઞાનના ઉપક્રમથી પરિચિત થયા પછી આજે શિક્ષણનો વાસ્તવિક અર્થ સમજાયો છે. ત્યારબાદ વિદ્યાલયની અધ્યાપિકાઓ અને વિદ્યાર્થિનીઓએ પોતાના અનુભવ સંભળાવ્યા. સર્વએ જીવનવિજ્ઞાનનો એક સુંદર અને પ્રભાવી પ્રકલ્પના સ્વરૂપે સ્વીકાર કર્યો. એક મુસ્લિમ અધ્યાપિકાએ કહ્યું, “મહારાજ ! જીવનવિજ્ઞાન હવે મારા માટે નમાજની જેમ અનિવાર્ય બની ગયું છે. હવે હું જીવનમાં ક્યારેય જીવનવિજ્ઞાનને છોડી નહિ શકું.”
જીવનમાં શાંતિ, સમન્વય અને સાપેક્ષતાની ભાવના ત્યારે જ આવશે, જ્યારે આપણા સંવેગો પર નિયંત્રણ આવશે. બધી સમસ્યાઓ સંવેગોના કારણે જન્મે છે. એક માણસ દિવસ આખામાં કેટલાં રૂપ બદલે છે. ક્યારેક તે ક્રોધમાં હોય છે, ક્યારેક તેને ઉદાસી ઘેરી લે છે. ક્યારેક પ્રસન્નતા અનુભવે છે. આ સંવેગ જ તેને દુઃખી કે પ્રસન્ન કરે છે. જીવનમાં સમરસતા અને આનંદ કઈ રીતે આવે? એવી સ્થિતિનું નિર્માણ કઈ રીતે થાય? સંવેગોને નિયંત્રિત કરી સા વિધા યા વિમુક્તયે
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org