SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ વર્ષ વધારે જીવવું એના કરતાં મીઠાઈ ખાઈને પાંચ વર્ષ વહેલો જતો રહું તો શું ફરક પડે?’ આ માનસિકતાને કેવી ગણવી ? મૂર્છા કે અજ્ઞાનતા ? અજ્ઞાન તો ત્યારે ગણાય જ્યારે માણસને તેના પરિણામની જાણ જ ન હોય. મીઠાઈ ખાવાના દુષ્પરિણામો જાણતા હોવા છતાં આચરે તે મૂઢતા છે, મૂર્છા છે. વિદ્યાલય માત્ર અજ્ઞાન મટાડવાનું કેન્દ્ર ન બને, જાણકારી આપવાની સાથે સાથે તે વિદ્યાર્થીના મૂર્છાચક્રને પણ તોડે, જેનાથી જીવનનો આનંદ પ્રાપ્ત થાય. અભ્યાસ બાદ સારામાં સારી, ઊંચા હોદ્દાની નોકરી મળવા છતાં મોટા ભાગના લોકોના જીવનમાં શાંતિ નથી હોતી. ઉચ્ચ શિક્ષિત એવા ઘણા લોકો મળે છે જેમના જીવનમાં ખૂબ અશાંતિ છે. ઘરમાં, ઓફિસમાં, ક્યાંય પણ એમને શાંતિ નથી હોતી. એનું એક કારણ એ પણ છે કે અધ્યયન તર્ક પેદા કરે છે, તર્ક અને અશાંતિ વચ્ચે ગાઢ સંબંધ છે. આવા લોકો પાસે ધન-સંપત્તિ પ્રચુર માત્રામાં હોવા છતાં તેઓ દુઃખી રહે છે. મારી દૃષ્ટિએ તેઓ આ ધરતીના સહુથી ગરીબ કે વિપન્ન માણસો છે. સહુથી મોટી સંપત્તિ છે શાંતિ. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ એવો શબ્દ આજકાલ ખૂબ પ્રચલિત છે. પ્રશ્ન એ છે કે સહવાસ તો છે પણ શાંતિપૂર્ણ નથી. અગર આપણે એવા વિદ્યાર્થીઓનું નિર્માણ કરી શકીએ, જેમનામાં શાંતિપૂર્ણ સહવાસની નિપૂણતા હોય તો એ શાંતિમય અને સ્વસ્થ સમાજની દિશામાં મોટું ક્રાંતિકારી કદમ ગણાશે. આજે સમય ઘણો બદલાયો છે. એક સમય હતો કે પહેલા આઈ.ક્યુ પર ધ્યાન આપીને નિમણૂક થતી. હવે ઇ.ક્યૂ. પર ધ્યાન આપવામાં આવે છે. વ્યક્તિ પોતાના ઇમોશન પર કેટલો કંટ્રોલ કરી શકે છે એ બાબત મહત્ત્વની છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસરે ગહન અધ્યયન અને સર્વે કર્યા પછી એક પુસ્તક લખ્યું – ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સી.' નિષ્કર્ષ પ્રગટ કરતાં પ્રોફેસરે લખ્યું છે – ‘ખૂબ ભણેલા હોય એવા માણસો ઓછું ભણેલા માણસોના હાથ નીચે મહાપ્રજ્ઞ વાણી - ૬ ૧૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy