________________
મનુષ્યમાં જિજીવિષા ખૂબ પ્રબળ હોય છે. દરેક સ્થિતિમાં એ જીવિત રહેવા ઇચ્છે છે. બંને પગ કપાઈ જાય, આંખો જતી રહે છતાં પણ એને જીવવું હોય છે. એ મૂચ્છિત માણસે અવચેતન મનમાં પણ સાંભળ્યું કે ડૉક્ટરે મને મૃત ઘોષિત કર્યો છે તો છેક અવચેતન મનમાં પણ આંદોલન જાગ્યું. મૃત્યુ બાદ માણસનું શું થાય છે? આખું ચિત્ર જાણે તેની સામે આવી ગયું. એને ખ્યાલ આવી ગયો કે સ્મશાન સુધી પહોંચવામાં વધારામાં વધારે અડધો કલાક થશે અને પછી રાખ થઈ જઈશ એટલે જ એણે શક્ય તેટલી ક્ષમતા એકઠી કરીને કહ્યું, હું મર્યો નથી, જીવિત છું.”
બાજુમાં ઊભેલા કમ્પાઉન્ડરે ધમકાવીને કહ્યું, ચૂપ રહે ભાઈ ! તને ખબર પડે કે ડૉક્ટરને?! આજે કદાચ સ્થિતિ આવી જ છે. આજે દરેક ક્ષેત્રમાં આવા કમ્પાઉન્ડરો છે જે ડૉક્ટરની વાતને હાજરાહજૂર પ્રમાણ કરતા વિશેષ મહત્ત્વ આપે છે. આ એક મહાપ્રશ્ન છે. જે મહાભારત કાળથી ચાલ્યું આવે છે. ભીષ્મએ દુર્યોધનને સમજાવ્યો અને યુદ્ધનાં પરિણામોથી ચેતવ્યો ત્યારે એણે કહ્યું, જનામિ ધર્મ ન ચ મે પ્રવૃત્તિઃ જાનામ્યધર્મ ન ચ મે નિવૃત્તિઃ ' .
“પિતામહ! શું આપ એમ માનો છો કે હું ધર્મને જાણતો નથી? જાણું છું કે ધર્મ શું છે? પણ એમાં મારી પ્રવૃત્તિ નથી. હું અધર્મને પણ જાણું છું, પણ એમાં મારી નિવૃત્તિ નથી.”
આ એક શાશ્વત પ્રશ્ન છે કે બુરાઈને હું જાણું છું, પણ એને છોડી શકતો નથી. સારપ શું છે તે જાણવા છતાં આચરી શકતો નથી. ચેતનાની આ સ્થિતિ, આ મૂંઝવણ હંમેશા માણસની સામે રહેલી છે.
એક માણસને ડાયાબિટીસનો રોગ. મેં એને કહ્યું કે, “તને આટલી બધી માત્રામાં ડાયાબિટીસનો રોગ હોવા છતાં તું મીઠાઈ કેમ ખાય છે? તારે મીઠાઈ છોડવી જોઈએ. આ સ્થિતિ તારા માટે ઠીક નથી. પરેજી પાળવી જોઈએ.'
એણે જે જવાબ આપ્યો એ તાર્કિક હતો. એણે કહ્યું, “મહારાજ ! આપ પણ કહો છો કે એક દિવસ મરવાનું છે, મૃત્યુ અવશ્યભાવી છે. મીઠાઈ છોડીને
સાવિધા યા વિમુક્તયે
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org