________________
એક માણસ આપણને મળે, વાતો કરે, સ્વસ્થ હોય અને પાંચ જ મિનિટમાં સમાચાર આવે કે અકસ્માત થયો છે અને તેઓ હવે હયાત નથી.
વિદ્યા દ્વારા અમૃતની પ્રાપ્તિ થાય છે, એમ કદાચ અધ્યાત્મવિદ્યાના સંદર્ભમાં લખાયું, જે આપણી ઋષિ પરંપરા હતી, એના સંદર્ભમાં લખાયું. આજે એ સંદર્ભ કદાચ આપણને કામ નહિ લાગે. આજે વિદ્યાનો એ ઉદ્દેશ નથી. આજે શિક્ષણનો ઉદ્દેશ અને અર્થ બદલાઈ ગયા છે. એમાં અજ્ઞાનની નિવૃત્તિ મુખ્ય નથી, મોહનું નિવારણ કે મૂચ્છને તો તોડવાની જ તેમાં વાત નથી.
શિક્ષણની સાથે બે શબ્દોનો પ્રયોગ મેં ઘણી વખત કર્યો છે - “મૂર્ખતા અને મૂઢતા. જેનામાં સમજદારીનો અભાવ હોય છે, જેનામાં બુદ્ધિનો વિકાસ ઓછો થાય છે, એને સામાન્ય રીતે મૂર્ખ કહેવામાં આવે છે. બીજો છે મૂઢ, મૂઢ એ છે જે ભણેલો હોવા છતાં મૂર્ખથી વિશેષ મૂર્ખતા કરે છે. એક તો અજાણતા ખોટું કરે છે, બીજો જાણી જોઈને ખોટું કરે છે. મૂઢતાપૂર્વક ખોટું કરે છે તેને મતિમૂઢ કહી શકાય. ન કરવા જેવું કામ જે કરે છે એ મૂર્ખ નહિ મૂઢ છે.
આપણી સમક્ષ મૂર્ખતા અને મૂઢતા બંને શબ્દો છે. આપણે આ બંને શબ્દોનો વિચાર કરવાનો છે. વિદ્યાલયનું કામ મૂર્ખતા અને મૂઢતા દૂર કરવાનું છે. કોઈના જીવનમાંથી મૂચ્છ, ભ્રાંતિ દૂર કરીને તે શાંતિ અને આનંદનું જીવન જીવી શકે, તનાવમુક્ત જીવન જીવી શકે એવું ઘડતર કરવાનું હોય છે. મૂચ્છ ઓછી થાય ત્યારે જ એમ થઈ શકે.
મૂચ્છની સ્થિતિ હોય ત્યારે માણસ સચ્ચાઈને પકડી શકતો નથી. એક માણસ મૂચ્છિત થઈ ગયો. અચાનક બેહોશ થઈ ગયો. ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો મેડિકલ તપાસ-નિરીક્ષણ કર્યા પછી ડૉક્ટરે તેને મૃત ઘોષિત કર્યો. ખરેખર તે મર્યો ન હતો, મૂચ્છમાં હતો. તેના અવચેતન મને જ્યારે એ સાંભળ્યું કે મને ડૉક્ટરે મૃત ઘોષિત કરી દીધો છે તો એની અંદરની ચેતના જાગ્રત થઈ અને સમસ્ત પ્રાણ-ઊર્જા એકઠી કરીને ક્ષણ સ્વરે પણ બોલ્યો – “ડૉક્ટર ! હું મર્યો નથી.”
૧૫૮
મહાપા વાણી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org