________________
૧૮
સા વિઘા યા વિમુક્તયે
આજે આપણે જે પ્રાંગણમાં છીએ,એ વિદ્યાનું પ્રાંગણ છે. વિદ્યાનું મહત્ત્વ સૈકાલિક છે. વિદ્યાનું મહત્ત્વ અતીતમાં પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એનું કારણ છે, જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. દરેક વ્યક્તિમાં અજ્ઞાન હોય છે. કોઈનામાં ઓછું, કોઈનામાં વધારે હોઈ શકે છે. આપણી મોટી સમસ્યા છે અજ્ઞાન અને મૂચ્છ.
વિદ્યાલયોનું નિર્માણ અજ્ઞાનની નિવૃત્તિ કરવા અર્થે થયું છે. જ્ઞાનનો વિકાસ કરવા માટે થયું છે. વર્તમાનમાં ઘણાં વિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયો છે. એની સંખ્યા લગાતાર વધતી જાય છે. વિદ્યાનો ખૂબ વિકાસ થયો છે. એની સરખામણીએ જ્ઞાનનો વિકાસ થયો છે? કદાચ ના. પ્રાચીનકાળમાં વિદ્યાનો ઉદેશ બતાવતા લખ્યું છે કે, વિદ્યામૃતમઝુતે' - વિદ્યા દ્વારા અમૃતની પ્રાપ્તિ થાય છે. એમ પણ કહેવાયું છે કે “સા વિદ્યા યા વિમુક્તયે” – વિદ્યા એ છે જે મુક્તિ અપાવે છે.
વિદ્યાથી અમરત્વની પ્રાપ્તિ થાય છે. વિદ્યા મુક્તિ પ્રદાન કરે છે. આ બે બાબતે ભારતીય દર્શનમાં ખૂબ વિચાર થયો છે, એક નશ્વર અને એક અનશ્વર. જે નશ્વર છે તે
અસ્થાયી છે. આજે છે કાલે નહિ હોય. જીવન નશ્વર છે. સા વિધા યા વિમુક્તયે
૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org