________________
હું ઇચ્છીશ કે આપ લોકો પણ મારા આ કથનને પકડો કે અહિંસા રૂપી બ્રહ્માસ્ત્ર કે મિસાઇલના નિર્માણમાં આપનો સહયોગ પ્રાપ્ત થાય. સહુને એટલું સમજાય કે આપણે શાંતિનું જીવન જીવવાનું છે. મુંબઈ પ્રવાસ દરમિયાન મેં મુંબઈના પોલીસ અધિકારીઓના સંમેલનમાં કહ્યું કે આપની કામગીરી એવી છે કે દરેક ક્ષણે તનાવમાંથી પસાર થવું પડે છે. એની કસર આપ લોકો પર કાઢો છો. આપનો આ તનાવ, માનસિક સંઘર્ષનો ભોગ ઘણી વખત લોકો બને છે, આ વાત ઠીક નથી. લોકોમાં પ્રજાની છબિ સારી નથી. પોલીસની છબિ પ્રજામાં સુધરવી જોઈએ. એના માટે અહિંસા પ્રશિક્ષણની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પરિણામ એ આવ્યું કે પોલીસ અધિકારીઓના પ્રશિક્ષણ કેન્દ્રનું આયોજન થયું. જેમાં ઘણા પોલીસ અધિકારીઓ અને જવાનોએ ભાગ લીધો.
હું ઇચ્છું છું કે હરિયાણામાં પણ અહિંસા પ્રશિક્ષણ કેન્દ્ર ખૂલે. આવી પ્રશિક્ષણ શિબિરોમાં ભાગ લેનાર વ્યક્તિ સ્વયં શાંતિપૂર્ણ બને, સમાજને પણ શાંતિથી સભર કરે. હું રાષ્ટ્રપતિજી સાથે એક પુસ્તક લખી રહ્યો છું. એનું એક પ્રકરણ છે, ‘અચ્છા પરિવાર.' આ પુસ્તકના અધ્યાય રાષ્ટ્રપતિજી લખી રહ્યા છે. સારો પરિવાર અને સારું રાષ્ટ્ર કઈ રીતે બને ? આ પ્રશ્નનો જવાબ આ પુસ્તકમાંથી મળશે. સન ૨૦૨૦ સુધી હિન્દુસ્તાનને એક શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન માત્ર ભૌતિક વિકાસથી સિદ્ધ નહિ થાય. ભૌતિક અને આધ્યાત્મિક, ચારિત્રિક અને નૈતિક વિકાસ - આ સર્વના સમન્વયથી જ શક્તિશાળી અને સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ ૨૦૨૦ સુધીમાં થઈ શકશે. મને પાક્કો વિશ્વાસ છે કે અહિંસા, નૈતિકતા અને ચરિત્રના ક્ષેત્રમાં હિન્દુસ્તાન અગ્રણી બની શકે છે.
ભ્રષ્ટાચારની સૂચિમાં ભારતનું નામ જોઉં છું ત્યારે મને ખૂબ કષ્ટ થાય છે. દુઃખ થાય છે. ખૂબ વિચિત્ર લાગે એવી વાત છે કે આખી દુનિયાને આધ્યાત્મિક માર્ગદર્શન આપવાની ભવ્ય પરંપરા અને ઉજ્જવળ ઇતિહાસ જે દેશ પાસે છે એ દેશમાં નૈતિકતાનું આવું ધોવાણ ? ભ્રષ્ટાચારની આવી તીવ્ર માત્રા ? એટલે આ પ્રશ્નો પીડે છે. સામુદાયિક ચિંતા અને ચિંતનનો વિષય છે. આપણા રાષ્ટ્રની
ચત્રિશાળાનું નિર્માણ કરીએ
Jain Education International
For Private & Personal Use Only
૧૫૫
www.jainelibrary.org