________________
જીવનમાં દક્ષતા ભલે પ્રાપ્ત કરી લઈએ, જીવન-નિર્માણમાં સહાયક વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના સ્વામી નહીં બની શકીએ. ગઈકાલે જ મેં જણાવ્યું હતું કે કાર્યકૌશલ વધી જવાથી વ્યવહારકૌશલ વધી જાય એવું કોઈ સીધુંસાદું સમીકરણ નથી. સમાજ અને દેશની પ્રગતિ વ્યવહારકૌશલ અને ચારિત્રનિર્માણ વગર શક્ય નથી.
આ બધી દષ્ટિએ અમે જે પ્રયોગ કર્યા તે ખૂબ કાર્યસાધક નીવડ્યા છે. આ પ્રયોગોને હજી દેશવ્યાપી સ્વરૂપ નથી મળ્યું પણ હું એટલું નમ્રતાપૂર્વક જણાવીશ કે આજે વિવિધ પ્રાંતોમાં પચાસ લાખ જેટલા વિદ્યાર્થીઓ જીવનવિજ્ઞાનના પાઠ્યક્રમ સામે જોડાયેલા છે. હજારો શિક્ષક પ્રશિક્ષિત થયા છે. હજી આ કમ આગળ ને આગળ વધી રહ્યા છે. જીવન-નિર્માણમાં જીવવિજ્ઞાનની ઉપયોગિતા સિદ્ધ થતી જાય છે.
જયપુર પ્રવાસમાં અમે એક કોર્સ તૈયાર કર્યો - અહિંસા પ્રશિક્ષણનો. અજમેરમાં સી.આર.પી.ના જવાનોનો એક પ્રશિક્ષણ શિબિર હજી ગઈકાલે જ પૂરો થયો. ડી.આઈ.જી. હીરાસિંહનો કાલે જ એક પત્ર મળ્યો. નસીરાબાદ અને સી.આર.પી.ની બીજી છાવણીઓમાંથી પણ આ પ્રકારની શિબિરની અપેક્ષા રાખવામાં આવે છે. સહુને અનુભૂતિ થઈ રહી છે અને વિશ્વાસ બેઠો છે કે માનસિક વિકાસમાં આ પ્રકારનું પ્રશિક્ષણ ખૂબ લાભદાયક છે.
હરિયાણામાં જીવનવિજ્ઞાન અકાદમી સારું કામ કરે છે. બનારસીદાસજી ગુપ્તા સામે જ બેઠા છે. તેઓ હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ પોતે જીવનવિજ્ઞાન અને અહિંસા પ્રશિક્ષણના કાર્યક્રમો સાથે જોડાયેલા છે. સહુનો સહયોગ મળે છે. સંતોષજી અને નરેશજી પણ પૂરા મનોયોગથી આ કાર્યમાં જોડાયેલા છે. સહુના સહિયારા પ્રયાસોથી હરિયાણામાં અહિંસા-પ્રશિક્ષણનો કાર્યક્રમ વધારે વ્યાપક થશે. અમારી બે દિવસની ગોષ્ઠીમાં હરિયાણાના સેંકડો શિક્ષકોએ ભાગ લીધો. સહુએ ઉત્સાહ દાખવ્યો.
રાજ્યપાલજી સાથે બહુ જૂનો પરિચય છે. બિહારની વૈશાલી ઇન્સ્ટિટ્યૂટમાં એમની પ્રેરણાથી જીવનવિજ્ઞાનના સંદર્ભમાં ઘણું કામ થયું હતું. ચત્રિશાળાનું નિર્માણ કરીએ
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org