________________
આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, તે આપણા વ્યવહારને પ્રભાવિત કરે છે. જ્યાં સુધી રાસાયણિક પરિવર્તન થતું નથી, ત્યાં ચરિત્રનો વિકાસ થઈ શકતો નથી. અમે એક વૈજ્ઞાનિક દૃષ્ટિ, આધ્યાત્મિક દૃષ્ટિ અને યોગદૃષ્ટિનો સમન્વય કરી જીવનવિજ્ઞાનનો ઉપક્રમ શિક્ષણ ક્ષેત્રે પ્રસ્તુત કર્યો અને આજે તેનું પ્રભાવક પરિણામ જોઈ શકાય છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ જેવાં હિન્દીભાષી રાજ્યોમાં જીવનવિજ્ઞાનના કાર્યક્રમો ચાલી જ રહ્યા છે. કર્ણાટક જેવા બિનહિન્દીભાષી રાજ્યએ પણ જીવનવિજ્ઞાનને પોતાના પાઠ્યક્રમમાં સ્થાન આપ્યું છે. ત્યાં જીવનવિજ્ઞાનનાં પુસ્તકોનો કન્નડ ભાષામાં અનુવાદ ચાલી રહ્યો છે. અત્યાર સુધી બે લાખ અધ્યાપકોને જીવનવિજ્ઞાનનું પ્રશિક્ષણ અપાઈ ચૂક્યું છે. ત્યાંના મુસ્લિમ સમાજે જીવનવિજ્ઞાનનાં પુસ્તકોનો ઉર્દૂમાં અનુવાદ કરાવી મદરેસાઓમાં ભણાવવાનો નિર્ણય લીધો છે.
હું એમ માનું છું કે માત્ર બૌદ્ધિક વિકાસ વ્યક્તિને માટે ઉપયોગી છે, જીવિકા ચલાવવા માટે તેની ઉપયોગિતા છે, પણ જ્યાં પરિવાર, સમાજ, દેશનો પ્રશ્ન આવે છે, ત્યાં તેનો વ્યવહાર અને ચરિત્ર જ મુખ્ય રૂપે જોવામાં આવે છે. બૌદ્ધિક વિકાસથી તર્કશક્તિ વધે છે પણ ચારિત્રની બાબતમાં પણ બુદ્ધિ ઉન્નત બનાવે એમ માની શકાય નહિ. આજે આપણી સામે જે સમસ્યાઓ છે એ ભણેલા-ગણેલા માણસો તરફથી જ વધારે ઊભી થયેલી છે. આ સમસ્યા ચારિત્ર્યશીલ માનવનિર્માણ વગર શક્ય નથી.
આપણા મસ્તિષ્કમાં બે પ્રકારના તંત્ર છે. એક છે બૌદ્ધિકતાનું તંત્ર અને બીજું છે ચરિત્રનું તંત્ર. જ્યાં સુધી આ બંનેનો સમન્વય નહીં કરીએ ત્યાં સુધી મસ્તિષ્કનો સંતુલિત વિકાસ નહિં થઈ શકે. આપણે બૌદ્ધિક વિકાસને ગૌણ નહિ કરવો જોઈએ. મસ્તિષ્કની દૃષ્ટિએ જોઈએ તો આપણા મસ્તિષ્કનું જે ડાબું પટલ છે એ લૌકિક વિદ્યા માટે ઉત્તરદાયી છે. ભાષા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ આદિનો વિકાસ તેના દ્વારા થાય છે. જમણું પટલ સ્ફૂરણા, અધ્યાત્મ, ચરિત્ર માટે જવાબદાર છે. જ્યાં સુધી જમણા પટલને જાગૃત નહીં કરીએ ત્યાં સુધી
મહાપ્રજ્ઞ વાણી - ૬
૧૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org