________________
વિચાર કરવામાં આવે તો સમજાય કે જે વાત આપણા કોન્સિયસ માઇન્ડને પ્રભાવિત કરે છે, એ વાત વધારે ટકતી નથી. જ્યાં સુધી આ વાત અનકોન્સિયસ માઇન્ડ સુધી પહોંચતી નથી, ત્યાં સુધી સ્થાયી બદલાવ નથી થતો. આદતો અને સ્વભાવનો સ્ટોર અનકોન્સિયસ માઇન્ડ છે. શાબ્દિક ઉપદેશ, પ્રવચન, પાઠ્યપુસ્તકો આનાથી સ્થાયી પરિવર્તન સંભવ નથી. એની સાથે-સાથે પ્રયોગ થવો જોઈએ. મસ્તિષ્ક વિઘાને હું ખૂબ મહત્ત્વ આપું છું. પ્રયોગ મને પ્રિય છે અને પ્રયોગ પણ મને વિશ્વાસ છે. જ્યાં સુધી આપણે મસ્તિષ્ક પટલને છે પ્રભાવિત કરતા નથી લિમ્બિક સિસ્ટમનો એક હિસ્સો હાઇપોથેલેમસ, એને પ્રભાવિત અને સક્રિય કરતા નથી, ત્યાં સુધી ચરિત્રમાં પરિવર્તન નહીં આવે.
રાજસ્થાનના તત્કાલીન શિક્ષણમંત્રી ચંદનમલજી બૈદ એક વખત આચાર્યશ્રી પાસે આવ્યા અને કહ્યું, ‘આચાર્યશ્રી ! અમે નૈતિક શિક્ષણને પાઠ્યક્રમોમાં સ્થાન આપી રહ્યા છીએ.’ મેં પૂછ્યું, ‘આ સંદર્ભમાં આપ શું કરી રહ્યા છો ?’ એમણે કહ્યું, ‘અમે એક પુસ્તક તૈયાર કરાવીએ છીએ, જેમાં નૈતિક ચરિત્રને ઉન્નત બનાવનારા પ્રેરક પ્રસંગો અને એવી જ બીજી વાચન સામગ્રી હશે.'
મેં કહ્યું, ‘વર્તમાનમાં શું આવાં પાઠ્યપુસ્તકોની કમી છે ?’ આપનો આ પ્રયાસ દફતરને વધારે ભારે બનાવશે. દસ પુસ્તક હશે તો એકનો વધારો થશે !
એમણે કહ્યું, ‘આપ જણાવો કે આ સંદર્ભમાં અમે શું કરીએ ? મારા પરામર્શ પછી એમણે રાજસ્થાનના શીર્ષસ્થ શિક્ષણવિદોની એક સંગોષ્ઠિ બોલાવી. તેઓ આવ્યા અને વિસ્તૃત વિચાર-વિમર્શ થયો. મેં કહ્યું, ‘જે કાંઈ પણ નૈતિક શિક્ષણ બાબતે આપ લાગુ કરવા ઇચ્છો છો, એ પ્રયોગાત્મક હોવું જોઈએ, માત્ર લિખિત નહીં.’
પ્રાચીનકાળમાં અધ્યાત્મ અને યોગમાં પ્રયોગ વિહિત છે. આજે વૈજ્ઞાનિક આધારે પણ આપણે સમજી શકીએ, મનુષ્યના આધારે પણ આપણે સમજી શકીએ કે મનુષ્યના વ્યવહારનું નિયમન કોણ કરી રહ્યું છે ? આપણા મસ્તિષ્કના ન્યૂરોટ્રાન્સમીટર જ મનુષ્યના વ્યવહારને પ્રભાવિત અને સંચાલિત કરે છે.
ચત્રિશાળાનું નિર્માણ કરીએ
Jain Education International
For Private & Personal Use Only
૧૫૧
www.jainelibrary.org