________________
એ વાત આવે છે કે નિર્જરાની વાત આવે છે. નિર્જરાનો અર્થ છે મેલનું પ્રક્ષાલન. મલિનતાથી શુદ્ધિ તરફની ગતિ એટલે નિર્જરા, શુદ્ધીકરણ કઈ રીતે થાય ? તેના વિષે વિચાર કરવો ખૂબ આવશ્યક છે. એના માટે અભ્યાસ જરૂરી છે. માત્ર વાચન કરવાથી શુદ્ધીકરણ થતું નથી. જીવનવિજ્ઞાનમાં માત્ર સિદ્ધાંતની વાત નથી. પ્રયોગને પણ મહત્ત્વ આપેલ છે. ચેતનાના સર્વ કેન્દ્ર સક્રિય છે. ચેતનાની સક્રિયતાથી ભય, ક્રોધ, લોભ, ઇર્ષ્યા આદિ દુષ્પ્રવૃત્તિઓ પર આપણું નિયંત્રણ સ્થાપિત થાય છે. ગુસ્સો એક વખત શાંત થાય પણ પુનઃ એ ગુસ્સો જાગૃત ન થાય તેની કાળજી રાખવાની છે.
જીવનવિજ્ઞાનની કેળવણીમાં એવો ઉપક્રમ રચાયો કે વ્યક્તિના નકારાત્મક વિચાર જન્માવના૨ પ્રકોષોનું શોધન કરી સકારાત્મક વિચાર ઉત્પન્ન કરનાર પ્રકોષ્ઠોને સક્રિય બનાવવામાં આવે કે દરેક પ્રકારની સ્થિતિનો મુકાબલો થઈ શકે. સામાન્યતયા માણસ પરિસ્થિતિની સાથે જીવે છે. પરિસ્થિતિ મુજબ જીવે છે. એનું આચરણ પરિસ્થિતિ પર નિર્ભર હોય છે. અગર શોધન થઈ જાય તો દુષ્પ્રભાવક પરિસ્થિતિઓ પર આપણે ચેતનાની ઉચ્ચ ભૂમિકા પર પહોંચી જઈએ.
સંતોમાં અને ગૃહસ્થોમાં પણ ઘણા લોકો એવા થયા છે, જેમણે પોતાની ચિત્તવૃત્તિઓને એટલી શાંત બનાવી લીધી કે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તેઓ અવિચલ રહ્યા હોય. આપણા ધર્મસંઘમાં પાંચમા આચાર્ય થયા મધવાગણી. એમણે સ્વયં વૃત્તિઓ પર નિયંત્રણ કરી લીધું હતું. પ્રારંભથી જ જીવનભર દરેક પરિસ્થિતિઓથી તેઓ અપ્રભાવિત રહ્યા. એમની ઘણી કસોટી થઈ. મુનિ અવસ્થામાં કોઈએ ઝોળીમાં રાખ નાખી દીધી હોય. ધૂળ નાખનાર તરફ પણ તેઓ સ્મિત ફરકાવતા.
આપણે એ વાતનો સ્વીકાર કરી લઈએ કે અગર યોગ્ય વિધિ આપણી સામે હોય તો ચેતનાનું રૂપાંતરણ થઈ શકે છે. પ્રશ્ન આપણી સામે છે પ્રક્રિયાનો, પદ્ધતિનો, અગર એ બરાબર હોય તો ચેતનાને રૂપાંતરિત કરવામાં વાર લાગતી નથી. ચેતનાનું રૂપાંતરણ, ભાવશુદ્ધિ જરૂરી છે. એ જ કેળવણી સાચી જેના
શિક્ષાની ત્રિપદી : જીવન વિજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
૧૪૭
www.jainelibrary.org