________________
અને અહિંસાની વાત પર ખૂબ જોર આપવામાં આવ્યું. કારણ ? એના વગર સમાજ સુખી ન રહી શકે. મેં ઘણા ભણેલા-ગણેલા બૌદ્ધિક કહેવાતા માણસોને સમસ્યાથી ઘેરાયેલા જોયા છે.
જયપુર પ્રવાસની વાત છે. પ્રવચન પછી એક વ્યક્તિએ આભારપ્રદર્શન કર્યું. એણે કહ્યું, ‘જીવનવિજ્ઞાન એક કલ્યાણકારી પ્રકલ્પ રૂપે સામે આવેલ છે. અગાઉ આઈ.ક્યૂ.ના આધારે નિયુક્તિ થતી હતી હવે મોટી કંપનીઓ આઈ.ક્યૂ.ના આધારે નહિ ઇ.ક્યૂ.ના આધારે નિયુક્તિ કરે છે. જેનો પોતાના ઇમોશન પર કંટ્રોલ છે, એવા લોકો મોટાં-મોટાં પદ પર છે. જે લોકો પોતાના આવેગો પર નિયંત્રણ ધરાવતા નથી તે લોકો નીચેના પદ પર કામ કરે છે.'
જે કેળવણીમાં માણસને પોતાની લાગણીઓ પર, આવેગો પર નિયંત્રણ કરતાં શીખવવામાં આવતું નથી એ કેળવણી કામની નથી. મેં ઘણા લોકોને જોયા છે, જે પ્રારંભથી અનુશાસિત રહ્યા પણ જેવો ધન અને સત્તાના સ્રોત ખૂલ્યા કે અનુશાસનની પરિધિ પણ તેમના માટે તૂટી ગઈ. હમણાં જ એક નિકટતમ · વ્યક્તિ જેઓ મંત્રી બન્યા છે, એમને મેં કહ્યું, ‘પ્રથમ વખત આપ સત્તામાં આવ્યા છો, આપનો વિવેક જળવાય અને આપની ચેતના અંકુશમાં રહે એવી શુભેચ્છા આપું છું.'
વૈભવ પચાવવો અઘરો છે. સંપત્તિ પચવી જોઈએ. અંતરાત્માની શુદ્ધિ આવશ્યક છે. આ ભાવશુદ્ધિ ઇમોશનલ ડેવલપમેન્ટ વગર શક્ય નથી. આ ડેવલપમેન્ટ શરૂઆતથી જ થાય તે જરૂરી છે. આવેશ અને આવેગની વૃત્તિને આપ થોડી મિનિટોના સાધારણ પ્રયાસથી સમાપ્ત કરી લેશો. એના માટે પ્રયોગ રૂપે સતત પ્રયાસ કરવાના થશે. ઉપચાર ત્યાં જ કારગર થશે, જ્યારે બીમારી પ્રથમ તબક્કામાં હોય, થર્ડ સ્ટેજમાં પહોંચશે તો પછી ઇલાજ નહિ થાય. એ જ રીતે ઇમોશનલ કંટ્રોલ પણ એક-બે દિવસના પ્રયાસથી નહિ થાય. એના માટે લાંબા ગાળાના પ્રયાસની જરૂર છે.
જીવવિજ્ઞાનની પૂરી પદ્ધતિ આના પર આધારિત છે કે વૃત્તિઓનો ઉપચાર માત્ર ઉ૫૨-ઉ૫૨થી ન થાય. સંપૂર્ણ ભાવશુદ્ધિની વાત છે. જૈન તત્ત્વદર્શનમાં
મહાપ્રજ્ઞ વાણી - ૬
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org