________________
લોકો એમને પસંદ ન કરતા હોય, તે ઘરની બહાર રહે તો સારું એમ ઈચ્છનારની સંખ્યા વધારે હોય કારણ સ્પષ્ટ છે કે વ્યવહારકૌશલનો અભાવ. - ત્રીજું છે આચરણકૌશલ, જેનામાં આચરણ પ્રત્યે નિષ્ઠા છે એ આચરણકુશળ કહેવાય છે. આનંદમય જીવન એ જ જીવી શકે છે, જેનામાં આચરણ કૌશલનું મસ્તિષ્ક જાગૃત થઈ ગયું છે. જેને આચરણ પ્રત્યે નિષ્ઠા જાગી ગઈ હોય, એ કદી કોઈ ખોટું કામ નહીં કરે. પછી તે કોઈ અન્યાયપૂર્ણ કામ કે જે કામમાં કોઈને નુકસાન થતું હોય એવું કામ નહિ કરે.
આચરણકૌશલ મસ્તિષ્કિય પ્રશિક્ષણ દ્વારા કે અહિંસા પ્રશિક્ષણ દ્વારા થઈ શકે છે. બે મહિના પહેલાં અમે જયપુરમાં હતા. સમાચારપત્રોમાં વાંચ્યું કે અમેરિકામાં એક વિદ્યાર્થીએ રાઇફલથી પોતાના પરિવારના સભ્યોને ગોળી મારી. પરિવારનો સફાયો કરી એ શાળામાં ગયો અને શાળામાં પોતાના અધ્યાપક અને વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરી તેમને મારી નાખ્યા. આ છે હિંસાની ચરમસીમા. મને થયું કે અહિંસા પ્રશિક્ષણનું કામ યુવાનોમાં, વયસ્કોમાં ચલાવીએ છે તેમ બાળકોમાં અને વિદ્યાર્થીઓમાં પણ જરૂરી છે. આના વિષે ચિંતન કર્યું અને અહિંસા ઈન્ટરનેશનલના કાર્યકર્તાઓ સાથે વાત કરી. આ સંદર્ભમાં એ લોકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે જે મુખ્ય લોકો કામ કરી રહ્યા છે એમનો સંપર્ક સ્થાપિત કર્યો. સહુને એ વાતની જરૂર લાગી કે બાળપણથી જ અહિંસા પ્રશિક્ષણનું કામ શરૂ થવું જોઈએ. ત્યારબાદ અમે પૂરો કોર્સ તૈયાર કરાવ્યો, વિદ્યાર્થીઓ માટે અને યુવકો માટે પણ. સાધારણ જનતાની વચ્ચે પ્રશિક્ષણની કામગીરી ચાલુ જ છે પણ શિક્ષણના ક્ષેત્રમાં અહિંસા પ્રશિક્ષણની વાત દૂરગામી પરિણામ લાવનારી બની રહેશે અને તેના યથેષ્ટ પરિણામ મળશે. એના માટે એક વિશેષ કોર્સ બનાવેલ છે.
સમાજે સુખ-શાંતિથી સહઅસ્તિત્વને સાકાર કરવું હશે તો અહિંસાનું પ્રશિક્ષણ અનિવાર્ય છે. પ્રેક્ષા ધ્યાન અને જીવનવિજ્ઞાન શિક્ષણ સાથે જોડેલ છે, એની સાથે અહિંસા પ્રશિક્ષણને જોડી દેવામાં આવે તો પૂરું કામ થાય. જીવનવિજ્ઞાન અહિંસા પ્રશિક્ષણનો એક એકમ જ છે પણ સ્વતંત્ર રૂપે અહિંસા
મહાપ્રજ્ઞ વાણી -૬
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org