________________
દુઃખી હોય છે કારણ કે એમની અંદર આનંદનો સ્ત્રોત પ્રફુટિત થયો હોતો નથી.
શિક્ષણની નિષ્પત્તિના આધારે વિશ્લેષણ કરીએ તો ત્રણ શબ્દ આપણી સામે આવે છે. કાર્યકૌશલ, વ્યવહારકૌશલ અને આચરણકૌશલ. આ ત્રણેયમાં શિક્ષણની આખી વાત આવી જાય છે. શિક્ષણથી કાર્યકૌશલમાં વૃદ્ધિ થાય છે. જેનામાં કાર્યકૌશલ નથી એ કયૂટર કે સોફ્ટવેર આદિની બાબતમાં કાંઈ જાણતો નથી. શિક્ષણની વિવિધ શાખાઓ કાર્યકૌશલ વધારવા માટે જ હોય છે. દક્ષતા વધે એટલા માટે જ શિક્ષણની પદ્ધતિઓ અને ટેકનિકોનો વિકાસ થયો છે.
શિક્ષણનો એક અન્ય ભાગ છે જે આપણા મસ્તિષ્કના અન્ય પ્રકોઠોને સક્રિય કરે છે. મસ્તિષ્કનો એક પ્રકોષ્ઠ છે કાર્યકૌશલનો પ્રકોઇ, એને કર્મની શક્તિ કે કર્મની બુદ્ધિ કહે છે. મસ્તિષ્કનો એક પ્રકોઇ આપણી પ્રસન્નતાને, આનંદને વિકસિત કરનાર છે. વ્યક્તિનું આવેશ પર નિયંત્રણ હોય તો એનામાં આપોઆપ વ્યવહારકૌશલ આવી જાય છે. બીજાની સાથે કેવો વ્યવહાર કરવો એ શિક્ષણ દ્વારા નિર્ધારિત થાય છે. કોઈ વ્યક્તિ ભણેલ-ગણેલ હોય પણ વ્યવહારકુશળ ન હોય તો ઘર અને ઓફિસમાં તેનો સમય લડવા-ઝઘડવામાં જ પસાર થશે. ઘરમાં માતા-પિતા અને પત્ની મુશ્કેલી અનુભવે છે અને ઓફિસ કે દુકાનમાં હાથ-નીચેના કર્મચારીઓ પણ દુઃખી થાય છે. ઘણા અભિભાવકો એમ કહેતા હોય છે, “શું દુઃખના દિવસો જોવા માટે જ આટલું ભણાવ્યા?”
શિક્ષણથી કાર્યકૌશલ આવ્યું પણ વ્યવહાર કૌશલ ન આવે તો શિક્ષણ બહુ કામ આવતું નથી. કાર્યકૌશલ આજીવિકા મેળવવા માટે, ધન કમાવવા માટે છે. પરિવાર માટે વ્યવહારકૌશલની જરૂર પડે છે. સાથે રહેવું અને સૌમનસ્થતા અને સહઅસ્તિત્વની ભાવનાથી રહેવું એ મુશ્કેલ છે. કોઈ શાંતિ અને સહયોગની ભાવનાથી ઘરમાં રહી શકે તો માનવું કે શિક્ષણની બહુ મોટી નિષ્પત્તિ છે. શાળાનું શિક્ષણ ન મેળવ્યું હોય પણ પરિવારને સુંદર રીતે ચલાવતો હોય એ માણસ વધારે મહત્ત્વનો છે. એવા લોકોને પણ જોયા છે કે જેમણે ઊંચી ડિગ્રી મેળવી હોય, યુનિવર્સિટીમાં ઊંચો હોદો મેળવ્યો હોય પણ પરિવારના શિક્ષાની ત્રિપદી: જીવન વિજ્ઞાન
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org