________________
૧૬ શિક્ષાની ત્રિપદી :
જીવનવિજ્ઞાન
એક દાર્શનિક સિદ્ધાંત પર વિચાર કરો. દરેક વ્યક્તિમાં જ્ઞાનની ક્ષમતા છે, આનંદ છે અને શક્તિ છે. જ્ઞાન, આનંદ અને શક્તિ - આ પ્રાણીનું લક્ષણ છે. માત્રાભેદ હોઈ શકે છે. કોઈનામાં જ્ઞાનનો વધારે વિકાસ થયો હોય પણ કોઈ પ્રાણી એવું નથી જેનામાં જ્ઞાન અને સંવેદના ન હોય. આનંદ માટે પણ આ વાત કહી શકાય. એક વ્યક્તિ સદાય પ્રસન્ન રહેતો હોય અને એક વ્યક્તિ ક્યારેક પ્રસન્ન, ક્યારેક ખિન્ન એમ બને. કોઈ વ્યક્તિ વધારે શક્તિશાળી હોય અને કોઈ ઓછી એમ પણ બને.
શિક્ષણ પર વિચાર કરતી વખતે પણ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. આપણું શિક્ષણ આ ત્રિ-પદી આધારિત હોવું જોઈએ. એવું શિક્ષણ - જે જ્ઞાનને વિકસિત કરે, એવું શિક્ષણ જે તેની શક્તિનો અનુભવ કરાવે અને એવું શિક્ષણ જે તેનો વિકાસ કરે. કોઈ પણ રીતે પ્રશિક્ષણ આપવામાં આવે પણ આ ત્રણ બાબતોનો વિચાર થાય તો જાણવું કે શિક્ષણ પદ્ધતિ ખૂબ સારી છે. જ્ઞાન વિકસિત થાય તો એનાથી આપણું અજ્ઞાન દૂર થાય છે, આપણને સત્ય જાણવાનો મોકો મળે છે. આનંદ વિકસિત થાય તો ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે અને દુઃખથી બચી શકાય છે. દુનિયામાં દુઃખ વધારે નથી પણ ઘણા લોકો એટલા માટે
મહાપ્રજ્ઞ વાણી -૬
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org