________________
વ્યક્તિને બદલી ના શકાય. જ્યાં સુધી પ્રયોગની ભૂમિકા પર નથી આવતા, ત્યાં સુધી એમ થવાનું સંભવ નથી.
હું અત્યારે વિદ્યાલયમાં આપની સમક્ષ બોલી રહ્યો છું. અધ્યાપકોને મારું નમ્ર નિવેદન છે કે વિદ્યાર્થીને પુસ્તકના જ્ઞાન સાથે તેનો ભાવાત્મક વિકાસ કરવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. ઇમોશનલ ડેવલપમેન્ટ ન થાય, માત્ર બૌદ્ધિક વિકાસ જ લક્ષ્ય બને તો ઘણું ભણવા છતાં પણ માણસ દુઃખી અને તનાવગ્રસ્ત રહે છે. ભણતર તર્કશક્તિમાં વધારો કરે છે પણ સંવેગ પર નિયંત્રણ કરતા ન શીખવે તો કાંઈ કામનું નથી. જીવન એક સંગ્રામ છે. પળેપળનો સંઘર્ષ છે. એવામાં મોટા અધિકારી કે વેપારી કે સત્તાધીશ પાસે પણ લાગણીઓના નિયંત્રણની સમજ-ચિંતન હોવાં જોઈએ. જીવનમાં ડગલે-પગલે ઘડતર થયેલું વ્યક્તિત્વ સાચી દિશામાં સાચા નિર્ણયો લઈ શકે છે. જરૂર છે કોઠાસૂઝની. હૈયાઉકલતની જરૂર છે. હિંસા પર નિયંત્રણ મેળવવા અને અહિંસક જીવનશૈલીને વિકસાવવા આપણે સર્વાંગી વિચાર કરવો પડશે. શિક્ષણ પણ સુધારણા-પરિવર્તન માગે છે. હિંસા પર નિયંત્રણ જરૂરી છે.
૧૯ જૂન
હિંસા કેમ વધી રહી છે ?
Jain Education International
For Private & Personal Use Only
૧૪૧
www.jainelibrary.org