________________
બનાવનારને પૂછ્યું, “આ ગોળ કેવી રીતે બને છે?'
પેલાએ જવાબ આપ્યો, “આ સામે શેરડીનું ખેતર છે. શેરડીના રસમાંથી ગોળ બને છે.”
પૂછનારો તો ખુશ થઈ ગયો. ઘરે પાછો ફર્યો. એના હાથમાં આઠ-દસ શેરડીના સાંઠા હતા. એણે ઘરના લોકોને પૂછ્યું, “ખેતીની શી સ્થિતિ છે? ઘરના લોકોએ કહ્યું, બાજરી વાવી છે. પાક તૈયાર થવામાં થોડી વાર છે.”
પેલો તો શેરડીનો ગોળ બનાવવાના મૂડમાં હતો. ખેતી વિષે કાંઈ ખબર પડે નહિ છતાં કહ્યું, “ગવાર-બાજરી જેવો પાક તો સામાન્ય છે. આવો પાક લેવાથી આપણી સ્થિતિમાં સુધારો થવાનો નથી. સિઝન સારી હોય તો ઠીક છે. બાકી બાજરીના પાકથી આપણે ઊંચા આવવાના નથી. હું એક સારી વાત લઈને આવ્યો છું. આ શેરડી છે અને શેરડીનો ગોળ થાય છે. બાજરીનો પાક ઉખાડીને ફેંકી દો. હવે આપણે શેરડીની ખેતી કરીશું.” • ખૂબ પરિશ્રમથી તૈયાર કરેલ બાજરીનો પાક ઉખાડીને ફેંકી દેવાનો પરિવારના મુખિયાનો આદેશ કોઈને ગમ્યો નહિ, પણ મુખિયાનો આદેશ તો ટાળી શકાય નહીં. લહેરાતો પાક કાપીને શેરડીનું વાવેતર કરી દીધું. પણ જમીન શેરડીના પાક માટે પ્રતિકૂળ હતી. મહિનો થઈ ગયો. સહેજ ઝૂંપળ પણ ફૂટી નહીં. બે મહિના પછી જોયું તો શેરડીના વાવેતરના સાંઠા સૂકાઈ ગયા હતા. આખો પરિવાર આર્થિક રીતે સમૃદ્ધ થવાના બદલે તબાહ થઈ ગયો.
આવી જ કાંઈક સ્થિતિ આજની છે. લોકો સાંભળે છે પણ સમજતા નથી. પ્રક્રિયા સમજાતી નથી. પ્રયોગની સાર્થક ભૂમિકાએ આપણે લોકો આવતા નથી.
પાણીની સમસ્યા આજે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. જેવા અમે મધ્યપ્રદેશથી રાજસ્થાનની સીમામાં પ્રવેશ્યા કે પાણીની સમસ્યાથી પીડાતા લોકો જોયા. થોડા આગળ વધ્યા કે લોકોએ કહ્યું, “મહારાજ ! ઘરમાં અન્ન નથી, રોટીની મોટી સમસ્યા છે.”
હિંસા કેમ વધી રહી છે?
૧૩૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org