________________
મેં અનુભવ કર્યો, દિલ્હીથી જયપુર અને ભોપાલની હવાઈયાત્રા કરનારને ગરીબોની સમસ્યા કેમ સમજાતી નથી ?! ધરતી પર જેના પગ પડતા નથી એવા માત્ર હવામાં ઉડનારાઓ સામાન્ય લોકોનું દુઃખ ક્યાંથી સમજી શકે ? હિન્દુસ્તાનની ગરીબી આઝાદીના સાડાપાંચ દાયકા પછી પણ દૂર નથી થઈ, એનું કારણ એ છે કે સત્તા પર બેઠેલા લોકોને ગામડાંની સાચી સ્થિતિનું ભાન નથી. જ્યાં સુધી ગ્રામ વિસ્તારની સાચી સ્થિતિનું આકલન નહિ થાય, પોતાની આંખોથી પ્રત્યક્ષ રીતે અભાવની પીડા વેઠનારાઓને જોશે નહિ ત્યાં સુધી દેશની સાચી છબી એમની સામે ક્યારેય નહિ આવે.
અમે અમારી યાત્રા દરમિયાન ગુજરાતથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન – બધી જગ્યાએ અમે દેશની સાચી તસવીર જોઈએ છીએ. મને નવાઈ લાગે છે કે અભાવની સ્થિતિ હોવા છતાં માણસ જીવે છે, નિરાંતે બેઠો છે, પણ આવી સંતોષની સ્થિતિ કાયમી ચાલવાની નથી. આ સંતોષ ભ્રામક છે. નિષ્ક્રિયતા અને ચિંતનના અભાવે જન્મેલી આળસ છે. જેને આપણે સંતોષ કહીએ છીએ તે સંતોષ નથી, આળસ છે.
વિદ્રોહની સ્થિતિ આવતા વાર લાગવાની નથી. આ ગરીબી અને વિષમતા એક દિવસ જરૂર વિદ્રોહ પ્રગટાવશે. એ સ્થિતિ બહુ દૂર નથી. દેશ અને રાજ્યોની સરકારો દિગ્દમિત છે. પ્રાથમિકતા કઈ બાબતોને આપવી એનો એમને પરિચય નથી. લોકસભા અને વિધાનસભાઓમાં દેશ-પ્રદેશની જે સ્થિતિ રજૂ થાય છે તેથી કાંઈક જુદી જ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા વિષમ છે. વરવી છે. પીવાના પાણી અને અનાજની વ્યવસ્થા નથી અને આપણે મૂડીરોકાણની વાત કરીએ છીએ. બીજા દેશના મૂડીરોકાણ અને ઔદ્યોગિક વિકાસ દર સાથે છેવાડાના માણસને શી લેવા-દેવા?
જેમની પાસે મોંઘી ગાડીઓ છે, એમના માટેના ઝળહળાટ રાજમાર્ગો એ વિકાસની તસવીર નથી. ગામડાંઓ સુધી પાકી સડકો થવી જોઈએ. ઉદ્યોગો માટે વીજળી છે અને ઝૂંપડીઓમાં અંધકાર છે. વસાહતોમાં અંધકાર છે.
૧૩૮
મુંબઈ પ્રવાસ વખતે અમુક લોકો મારી પાસે આવ્યા. એક ઉદ્યોગપતિએ
મહાપ્રજ્ઞ વાણી – ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org