________________
કોઈ પણ વ્યક્તિ અગર સાચા મનથી માનવીય એકતાનો પ્રયત્ન કરે તો મને વિશ્વાસ છે કે એ જરૂર સફળ થાય. માનવીય એકતાની વાતમાં ન તો કોઈ ધર્મ આડો આવે છે,ન જાતિ, ન વર્ણ. અઢી હજાર વર્ષ પહેલાં મહાવીરે જે કહ્યું, ‘એગા મણસ્સુ જાઈ’ – એ સંદેશને લઈને જ ચાલીએ છીએ. મહાવીરે એકતાનો પ્રયોગ કર્યો હતો, એટલે એમના સંઘમાં ચંડાળ ગણાતા પણ દીક્ષિત થયા, અનેકવિધ જ્ઞાતિના લોકો અનુયાયી થયા. હમણાં જ ગિરિજા વ્યાસે કહ્યું, ‘હું બ્રાહ્મણ છું.’ મેં કહ્યું, ‘અમે જેનો અભ્યાસ કરીએ છીએ એ બ્રાહ્મણોના શાસ્ત્રીઓ પણ વાંચે છે.' મહાવીરના અગિયાર મુખ્ય શિષ્યો, જેઓ ગણધર તરીકે ઓળખાય છે. તે ઇંદ્રભૂતિ ગૌતમ, સુધર્મા આદિ સર્વ બ્રાહ્મણ હતા. મહાવીર પોતે ક્ષત્રિય હતા એટલે શ્રમણ પરંપરાને એક રીતે ક્ષત્રિયોની પરંપરા કહી શકાય. શી ખબર જાતિઓને અલગ અલગ-દષ્ટિઓથી જોવાની વાત ક્યાંથી આવી ? એ સમયે કોઈની અવગણના કે પ્રતિબંધ ન હતો. અગિયાર ગણધર બ્રાહ્મણ અને સ્વયં પ્રભુ મહાવીર ક્ષત્રિય હતા. એ વાત આજે કોઈને વિચિત્ર લાગે પણ સમતાનું જ આ સૌંદર્ય છે. સ્વસ્થ અભિગમનો અને અનેકાન્તનો જ આ પ્રયોગ છે. સમન્વય અને માનવીય એકતાનો આ ભગવાન મહાવીરનો મહાપ્રયોગ ગણી શકાય.
જાતિઓની વ્યવસ્થા તો માત્ર સુવિધા ખાતર, ઓળખ ખાતર હતી. મુખ્ય વાત છે માનવીય એકતાની. અમે અહિંસાયાત્રા દરમિયાન માનવીય એકતાનો પ્રયોગ કર્યો.
બીજો એક પ્રસંગ છે સૂરતનો. રાષ્ટ્રપતિજી તરફથી સંદેશો આવ્યો કે તેઓ એમનો જન્મદિન મનાવવા સૂરત આવી રહ્યા છે. તારીખ નક્કી થઈ. કાર્યકર્તાઓએ પૂરો કાર્યક્રમ રાષ્ટ્રપતિજીને મોકલ્યો. એમના તરફથી સંદેશો આવ્યો કે હું આચાર્યશ્રી પાસે માર્ગદર્શન લેવા અને વિચાર-વિમર્શ કરવા આવી રહ્યો છું. મારે કોઈ ભાષણ કરવાનું નથી.
રાષ્ટ્રપતિજી સૂરત આવ્યા અને અમારી પાસે ચાર કલાક રહ્યા. એમની ઇચ્છા હતી કે સૂરતમાં એમની મુલાકાત વખતે વિવિધ ધર્મના ગુરુઓને મળવાનું હિંસા કેમ વધી રહી છે ?
Jain Education International
For Private & Personal Use Only
૧૩૫
www.jainelibrary.org