________________
સિદ્ધાંતના આધારે કદાચ મહામુશ્કેલીએ દસ ટકા લોકો બદલાય. પ્રયોગના કારણે સીત્તેર-પંચોતેર ટકા માણસોને બદલી શકાય, આ અનુભવે અમે શીખ્યા છીએ, જોયું છે.
અમે અનેકાન્તનો પ્રયોગ કર્યો. અનેકાન્તનું એક દર્શન તો છે જ, અમે એનો પ્રયોગ પણ કર્યો. સૂરતથી પહેલાં અમે મુંબઈમાં હતા. ધર્મગુરુ જ્યાં પણ જાય ત્યાં ધર્મગુરુના સ્વાગતમાં તૈયાર રહેતો આ એક રૂઢ પરંપરા છે. હું મુંબઈ અને ત્યારબાદ થાણા ગયો. ત્યાં મારી આગેવાનીમાં સેંકડો મુસલમાન આવ્યા. કાર્યક્રમની સંપન્નતા બાદ મુંબઈના ગૃહરાજ્યમંત્રી મારી પાસે આવ્યા. બોલ્યા - “આચાર્યશ્રી ! મને એ જોઈને ખૂબ આશ્ચર્ય થાય છે કે આપની આગેવાનીમાં મુસલમાન પણ આવે છે.'
મેં કહ્યું, “આજે ઓછા આવ્યા છે, ઘણી વખત તો ઘણા વધારે આવે છે.” એમણે કહ્યું, “આવું બહુ ઓછું થાય છે. મુસલમાન ભાઈઓ બીજા ધર્મગુરુઓની પાસે ઓછા જાય છે. આ કઈ રીતે સંભવ થયું?'
મેં કહ્યું, “આ પ્રયોગથી સંભવ થયું. હું મારી આ યાત્રામાં સાંપ્રદાયિક સૌહાર્દ અને સર્વધર્મ સમભાવનો પ્રયોગ પૂરી ગંભીરતાથી કરું છું. સહુની સાથે બેસીને, ચિંતન બેઠક કરીએ છીએ. એમના પ્રશ્નોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમના વિચારોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.” એમના મનની શંકાનું સમાધાન કરીએ છીએ. આ પ્રક્રિયા ગત એક વર્ષથી ચાલુ છે. એનાથી એક વાતાવરણ નિર્માણ થયું છે. મુંબઈથી અહિંસાયાત્રા નીકળી ત્યારે ચારસો મુસલમાન બંધુઓ અમારી આગળ અહિંસાનો ધ્વજ લઈને ચાલતા હતા. મુંબઈ જેવા મહાનગરમાં સાંપ્રદાયિક સૌહાર્દનું આવું દશ્ય લોકોએ પ્રથમ વખત જોયું હતું.
મુસલમાન પ્રતિનિધિઓએ મને એક માર્મિક વાત કરી કે આચાર્યજી! આજ સુધી જે કોઈ ધર્મગુરુ આવ્યા એમણે તોડવાની વાત કરી. એમની વાણીમાં સાંપ્રદાયિકતાને જ પ્રોત્સાહન આપવાનો સંદેશ હતો. આપ પહેલા ધર્મગુરુ છો જે જોડવાની વાત કરો છો, એટલે અમે આપનું અભિવાદન કરીએ છીએ. ૧૩૪
મહાપા વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org