________________
૧૫
હિંસા કેમ વધી રહી છે?
દાયકાથી દર્શનશાસ્ત્રનો અભ્યાસ ચાલે છે. સાથે-સાથે એમ પણ કહી શકું કે ત્રણ દાયકાથી વિજ્ઞાનનો પણ અભ્યાસ કરું છું. મેં જોયું કે સત્યની શોધના જેટલા પ્રયત્ન થઈ રહ્યા છે, તે બધા એક જ દિશામાં થઈ રહ્યા છે. આ પ્રયોગો વચ્ચે ભેદરેખા ખેંચવી કદાચ સારી વાત નથી. હું દીર્ઘકાળથી પ્રયોગ પણ કરું છું. આ પ્રયોગની વાત હું આચાર્ય તુલસી પાસેથી શીખ્યો છું. માત્ર વાચિક વ્યવહાર નહીં, માત્ર સિદ્ધાંતની વાત નહિ, પ્રયોગ પણ થવા જોઈએ. અહિંસાયાત્રામાં પણ કેવળ અહિંસાના સિદ્ધાંતોની વ્યાખ્યા નહિ, માત્ર અહિંસાનો અર્થ સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો, એના કારણોની શોધ પણ કરી. કોઈને ન મારવું અહિંસા છે, આ સામાન્ય માણસ પણ જાણે છે. માત્ર આટલું સમજાવવા માટે અહિંસાયાત્રા કરવી જરૂરી નથી.
આપણા દ્વારા અહિંસાનો વિકાસ કેમ થતો નથી, એની તપાસ કરી. હિંસા કેમ વધી રહી છે,એ કારણો પર આપણું ધ્યાન જવું જોઈએ. મને એવો દઢ વિશ્વાસ છે કે અહિંસાનો વિકાસ માત્ર સિદ્ધાંતના આધારે થઈ શકતો નથી. એનું કોઈ પ્રાયોગિક રૂપ હોવું જોઈએ. અમે પ્રયોગ બહુ કર્યા છે, પ્રયોગ પર અમને વિશ્વાસ પણ છે. પ્રયોગો દ્વારા આપણે માણસને બદલવાનો છે. માણસને બદલ્યો છે. માત્ર ,
હિંસા કેમ વધી રહી છે?
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org