________________
ધાર્મિક અને નૈતિક દેશ કહેવામાં વાંધો નથી. અગર એમ ન થાય તો પછી એ જ પ્રતિક્રિયા થશે જે અગાઉ અમે મુંબઈમાં એક વિદેશી વ્યક્તિ દ્વારા જોઈ.
વાત એ સમયની છે જયારે ગુરુદેવશ્રી તુલસી મુંબઈમાં પ્રવાસ કરી રહ્યા હતા. એક દિવસ એક વિદેશી, કદાચ હંગેરીનો નિવાસી હતો અને બોલ્યો, “આચાર્યશ્રી ! હું આજે જ આવ્યો છું અને બપોરે પાછો જઈ રહ્યો છું.' આચાર્યશ્રીએ કહ્યું, “કેમ આટલી જલદી કેમ?'
એમણે કહ્યું, મેં હિન્દુસ્તાનની ધાર્મિકતા વિષે ખૂબ સાંભળેલું. અહીંના લોકો ખૂબ ધાર્મિક પ્રકૃતિના છે પણ આજે ભ્રમ તૂટી ગયો. એરપોર્ટથી નીકળી ટેક્સી સ્ટેન્ડ તરફ ગયો. ત્યાં મને ટાંગા સ્ટેન્ડ પણ મળ્યું. મેં જોયું તો ગાડી સાથે જોતરેલા એક મુડદાલ ઘોડાને ગાડીવાળો નિર્મમતાથી ચાબુક ફટકારી રહ્યો હતો. ઘોડો પૂરું જોર લગાવીને ગાડી ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ નિષ્ફળ થતો કારણ કે ગાડીમાં સાત મુસાફરો હતા. આવું હિન્દુસ્તાનમાં જ શક્ય બને. મારા દેશમાં ઘોડા પર આટલો જુલમ ગુજારવામાં આવે તો ઘોડાગાડી વાળો સીધો જેલ ભેગો થઈ જાય.
આપણે ઘણા પ્રશ્નો પર વિચાર કરવાનો છે. ધર્મનો આપણા વિચાર, આચરણ અને ક્રિયા પર કેવો પ્રભાવ છે? કેટલો પ્રભાવ છે? આ કસોટી પર આપણી જાતને કસવાની છે. પોતાની જાતને ધાર્મિક ઘોષિત કરી દેવાથી કોઈ ધાર્મિક થઈ જતું નથી.
અમે અહીં આવ્યા છીએ. અમારું ચાતુર્માસ ગુડગાંવની પાસે જ થશે. આપ આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા ઇચ્છો તો અમે અને અમારો ધર્મ પરિવાર હંમેશા સહયોગ આપવા તૈયાર રહેશે. અમે જૈન છીએ, પણ અમારા કાર્યક્રમ બહુ વ્યાપક છે. જૈન-અજૈનનો અમારી સામે કોઈ પ્રશ્ન નથી. અમે હંમેશાં માનવધર્મને અગ્રતા આપી છે અને એ દષ્ટિએ જ અમે અહિંસાનું અભિયાન ચલાવી રહ્યા છીએ. ૧૮ જૂન,
ગુડગાંવ (હરિયાણા)
૧૩૨
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org