________________
કોઈ ગામ ત્યાં સુધી સારું નહિ માની શકાય જ્યાં સુધી ગામનો એક પણ માણસ ભૂખ્યો સૂતો હોય. બધા સમાન થઈ જાય એવી વાત નથી પણ બધાની પ્રાથમિક આવશ્યકતા સંતોષાવી જોઈએ. બધાંને સમાન કરવાની વાત, ખાસ કરીને આર્થિક રીતે સમાન કરવાની રીતે જેમણે વિચારી છે તે સહુ નિષ્ફળ ગયા છે, કલ્પના સારી છે, આદર્શ ઊંચો છે પણ વાસ્તવમાં શક્ય નથી. પણ કમ સે કમ એટલું તો થવું જોઈએ કે ભૂખના કારણે કોઈ માણસ મરવો ન જોઈએ.
ગુડગાંવના કમિશનર અહીં ઉપસ્થિત છે. એમને પણ આપણે એ પ્રશ્ન જ પૂછી શકીએ કે આપના તંત્ર હેઠળ શહેરમાં કોઈ ભૂખ્યો માણસ તો નથી ને? અગર નથી તો માનીશ કે ગુડગાંવ એક સારું શહેર છે. મોટાં-મોટાં ઉદ્યોગો-કારખાનાંઓ આપણા વિકાસનાં પ્રતીક નથી. હું વિકાસનું અંકન એના દ્વારા નથી કરતો. સાચો વિકાસ એ છે કે અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ વધારે પહોળી ન થાય.
સમાજવ્યવસ્થામાં પરિવર્તન ત્યાં સુધી આવતું નથી, જયાં સુધી વિકાસની અવધારણા સાચી અને સમ્યક્ સ્વરૂપ લેતી નથી. સમાજ વ્યવસ્થાના અસંતુલનમાં ધર્મ પણ તેજસ્વીતા જાળવી શકતો નથી. ધર્મની પણ મંદિરમાં અને બજારમાં વિભાવના બદલાઈ જાય છે.
ઘણા સમય પહેલાં મહારાષ્ટ્રની યાત્રા દરમિયાન એક વ્યક્તિ ગુરુદેવ પાસે આવી. વાતચીતમાં તેણે કહ્યું, “શું કરું? મને ધર્મમાં રુચિ છે પણ એના માટે મને સમય નથી મળતો.' - આચાર્યશ્રીએ એમને સ્મિતપૂર્વક કહ્યું, “હું આપને એવો ધર્મ બતાવું છું કે જેના માટે સમયની જરૂર નહિ પડે અને ધર્મનું પાલન પણ સારી રીતે થશે. તમે વરિષ્ઠ અધિકારી છો. તમારી પાસે ઘણી ફાઇલો આવે છે. એનો ઇમાનદારી અને નૈતિકતાની સાથે નિકાલ કરો, ધર્મ સચવાઈ જશે.”
આજે એવા જ ધર્મની જરૂર છે. ધર્મનું પાલન ઓફિસમાં થાય, દુકાનમાં થાય, રોજ-બરોજના વ્યવહારમાં આવે. અગર એમ થાય તો હિંદુસ્તાનને એક
અહિંસા પ્રશિક્ષણ
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org