________________
છે. અમે ગરીબો માટે ઘણી યોજનાઓ કરીએ છીએ, પણ ભ્રષ્ટાચાર અમારા પ્રયત્નોને નિષ્ફળ કરે છે. ગરીબો માટે અમે કેન્દ્રમાંથી એક રૂપિયો મોકલીએ છીએ પણ છેક છેલ્લે તો પંદર પૈસા જ પહોંચે છે.’
આ વાત સત્તર-અઢાર વર્ષ જૂની છે. આજે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે કેટલા પૈસા પહોંચતા હશે એ એક સવાલ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અહિંસાયાત્રાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું. નૈતિકતા વગર અહિંસાનો વિકાસ શક્ય નથી, અહિંસા વગર નૈતિકતાનો વિકાસ શક્ય નથી.
જે રાષ્ટ્રમાં નૈતિકતાનો અભાવ હોય, જે રાષ્ટ્ર ભ્રષ્ટ દેશોની સૂચિમાં અગ્રસ્થાને હોય, એ રાષ્ટ્રને ઉત્તમ રાષ્ટ્ર કહી શકાય ? ભારતમાં ધર્મ અને અધ્યાત્મનો ખૂબ ઉત્કર્ષ રહ્યો. એનો મૂળ આધાર હતો નૈતિકતા. આજે ધર્મ પૂજાપાઠ અને ઉપાસના સ્વરૂપે ચાલે છે, પણ તેના મૂળ આત્માનું જતન થતું નથી.
અહિંસાયાત્રાનો ઉદ્દેશ છે અહિંસક ચેતનાનું જાગરણ અને નૈતિક મૂલ્યોનો વિકાસ. આ બંનેના આધારે અમારા કામનો પ્રારંભ થયો. અમે ચિંતન કર્યું કે ગરીબ માણસને હિંસા-અહિંસાની વાત સમજાવવામાં આવે તો તે પાત્ર એક પક્ષીય વાત થઈ એટલે એમને માટે આવશ્યક રોજગારી પ્રશિક્ષણને જોડવાનું પણ વિચાર્યું. રોજી-રોટી પ્રાપ્ત થયા બાદ જ અહિંસાની વાત ગરીબને સમજાય.
બિહાર અને ઝારખંડના નક્સલવાદી લોકો સાથે અમારા કાર્યકર્તાઓની વાત થઈ, અને તેમને રોજગાર પ્રશિક્ષણની વાત જણાવી તો એમણે કહ્યું કે, ‘આ તો આપ અમારા હિતનું કામ જ કરી રહ્યા છો. અમે લોકો આચાર્યશ્રીને મળવા ઇચ્છીએ છીએ.’
ઝારખંડમાં અમારા કાર્યકર્તાઓનું નક્સલવાદી લોકોએ અપહરણ કર્યું. એમને આપણી પ્રવૃત્તિની જાણ થઈ અને કાર્યકર્તાઓને મુક્ત કરી દીધા. કાર્યકર્તાઓ છૂટી ગયા તો પોલીસે એમને ઉત્પીડિત કર્યા કે આપ લોકો નક્સલવાદીઓથી મળેલા છો. આમ કાર્યકર્તાઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પણ દરેક મોટા કામમાં મુશ્કેલીઓ આવે છે. આપણા કાર્યકરોનું મનોબળ
અહિંસા પ્રશિક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯
www.jainelibrary.org