________________
જયાં સુધી બંને વચ્ચેનું અંતર ઘટતું નથી, સમાજવ્યવસ્થામાં બદલાવ આવતો નથી, ત્યાં સુધી હિંસા પર બ્રેક લગાવવી મુશ્કેલ છે. યાત્રા દરમિયાન દરેક જગ્યાએ અને આજે અહીં પણ) ધર્મની અને બીજી વાતો કરવાનું ઓછું પસંદ કરું છું. અર્થનીતિ પર જનતા અને સરકારનું ધ્યાન આકૃષ્ટ કરું છું. જયાં સુધી અર્થ-વ્યવસ્થા બરાબર નહીં થાય, ત્યાં સુધી હિંસા ઓછી નહીં થાય, એમ માનીને ચાલવું જોઈએ. આ સચ્ચાઈથી ઇન્કાર ન થઈ શકે. આ સંદર્ભમાં મેં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને પણ મારા વિચારો જણાવ્યા છે. રાષ્ટ્રપતિજીએ ઈ.સ. ૨૦૨૦ સુધી ભારતને દુનિયાનું સહુથી વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું જોયું છે. આ સંદર્ભે એમની સાથે દીર્ઘ ચર્ચા થઈ છે. વિચારોનું આદાન-પ્રદાન હજી પણ ચાલુ છે.
જ્યાં સુધી અર્થવ્યવસ્થા નહીં બદલાય, આર્થિક ક્રાંતિ નહીં થાય અને જ્યાં સુધી હિંસાનાં કારણો ઓછા નહીં થાય, ત્યાં સુધી પ્રથમ કોટિનું રાષ્ટ્ર બનવું મુશ્કેલ છે. જે રાષ્ટ્રમાં અનૈતિકતા, ભ્રષ્ટાચાર ઉપરથી નીચે સુધી વ્યાપ્ત હોય, એને મજબૂત કરવાના માત્ર સપનાં જોઈ શકાય. એને પૂરા કરવા એ આસાન વાત ન હોય. ૧૯૮૭ની વાત છે, આચાર્યશ્રી તુલસી દિલ્હીમાં ચાતુર્માસ કરી રહ્યા હતા. અણુવ્રત ભવનમાં બિરાજમાન હતા. એક વખત તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી મળવા આવ્યા. એમની સાથે ધર્મ નિરપેક્ષતા વિષે વાત થઈ. આચાર્યશ્રીએ કહ્યું, “આ ધર્મનિરપેક્ષતા' શબ્દ ભ્રમ ઊભો કરે છે. એના બદલે “પંથ નિરપેક્ષ શબ્દ હોવો જોઈએ. રાજીવ ગાંધીએ આ વાત પર પોતાની સહમતિ વ્યક્ત કરી. કોઈ પણ રાષ્ટ્ર “પંથ નિરપેક્ષ હોઈ શકે છે, ધર્મનિરપેક્ષ' કઈ રીતે હોય? ધર્મનિરપેક્ષતા થાય તો અનૈતિકતાને જ જન્મ આપે. એનાથી રાષ્ટ્રનો વિકાસ અટકી જાય.
બીજી વાત આર્થિક સમસ્યા વિષે થઈ. ગુરુદેવે એમને પૂછ્યું, “આપ ગરીબો માટે શું કરી રહ્યા છો ?
રાજીવ ગાંધીએ કહ્યું, “આચાર્યશ્રી ! દેશમાં ખૂબ ગરીબી છે. અમે આ સમસ્યાથી અજાણ નથી પણ ગરીબી દૂર કરવામાં ખૂબ અવરોધો આવી રહ્યા
૧૨૮
મહાપ્રજ્ઞ વાણી -૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org