________________
એક બહુ ભણેલો-ગણેલો યુવક એક સંન્યાસી પાસે ગયો. સંન્યાસીએ વિચાર્યું કે ભણેલો-ગણેલો તેજસ્વી યુવક છે. આને શિષ્ય બનાવવો જોઈએ એમ વિચારી સંન્યાસીએ યુવકને કહ્યું, ‘તું મારો શિષ્ય થઈ જા !'
કેમ ?
‘હું તને મુક્તિનું રાજ્ય આપીશ.’
યુવકે તત્કાળ કહ્યું, ‘આપ પોતે મારા શિષ્ય કેમ બનતા નથી ?’
કેમ ? સંન્યાસીએ પૂછ્યું.
‘હું આપને દિલ્હીનું રાજ્ય આપીશ.' યુવકે કહ્યું.
સંન્યાસીના અહંકારને ઠેસ વાગી, થોડો ગુસ્સો પણ આવ્યો. તેણે કહ્યું, ‘દિલ્હીનું રાજ્ય તારા બાપનું છે ?’
યુવકે સંન્યાસીને પણ તરત જ પૂછ્યું,
‘મુક્તિનું રાજ્ય તમારા બાપનું છે ?’
જ્યાં ચાલાકી અને સ્વાર્થની વાત થાય છે ત્યાં સમસ્યાના સમાધાન માટે કોઈ ઉપક્રમ રચાતો નથી. જ્યાં ચિંતન, મનન, નિદિધ્યાસન આદિ આવે છે ત્યાં આપણે સમસ્યાના ઉકેલનો કોઈ રસ્તો કાઢી શકીએ.
હું પુનઃ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપણે એક મહાન ક્ષેત્રમાં આવ્યા. આવતા જ નામ જોઈને પ્રસન્નતા વધી. જ્યાં સિદ્ધાંત છે, ત્યાં વિકાસની અનંત સંભાવના છે. મારી મંગલભાવના છે કે આ સિદ્ધાંતનો વિકાસ થાય, અને એ વિકાસ વ્યક્તિ, સમાજ, દેશ અને દુનિયાની સમસ્યાઓના ઉકેલ માટે સક્ષમ
બને.
૧૭ જૂન
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
મહાપ્રજ્ઞ વાણી - ૬
www.jainelibrary.org