________________
શબ્દના, જૈન મૂલ્યના જતનની જાળવણી બહુ મુશ્કેલ કામ છે. જૈનદર્શન પાસે અનેકાન્ત જેવું દર્શન છે. અમદાવાદથી અમે મુંબઈ જતા હતા ત્યારે રસ્તામાં પ્રથમ વડોદરા આવ્યું, ત્યાં જૈન વિશ્વભારતી (માન્ય વિશ્વવિદ્યાલય)ના ઉપક્રમે અનેકાન્ત પર એક આંતરરાષ્ટ્રીય સંગોષ્ટીનું આયોજન કરવામાં આવ્યું. એમાં ઘણા દેશી-વિદેશી વિદ્વાનોએ ભાગ લીધો. મેક્સિકોના એક પ્રોફેસર એ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા. એમણે અનેકાન્ત પર શોધપત્ર વાંચ્યું. મને આશ્ચર્ય થયું કે વિદેશની ધરતી પર ઉછરેલો માણસ અનેકાન્ત દર્શનને આટલા ઊંડાણથી કઈ રીતે સમજ્યા? એમના ગહન અધ્યયને મને પ્રભાવિત કર્યો. ત્યારબાદ તેમની સાથે અમારો સંપર્ક સારી રીતે વધ્યો. હજી પણ એમના પત્રો આવે છે. એમની પ્રબળ ઈચ્છા છે કે અનેકાન્ત દર્શનનો પૂરા વિશ્વમાં પ્રચાર થાય. આ દિશામાં ફ્રાંસ, જર્મની જેવા દેશો પણ પ્રયાસ કરી રહ્યા છે. એમણે મને કહ્યું, “આચાર્યજી ! વર્તમાન સમયની જાગતિક સમસ્યાઓના સમાધાન માટે અનેકાન્તનો દૃષ્ટિકોણ ખૂબ સહાયક સિદ્ધ થઈ શકે છે એટલે મેં અનેકાન્તના પ્રચાર-પ્રસારને જીવનનું મિશન બનાવી દીધું છે.”
એક બીજી વાતનું પણ મને સ્મરણ થાય છે. આચાર્ય તુલસી હિસાર મુકામે ચાતુર્માસ સંદર્ભે બિરાજમાન હતા. ૧૯૭૩ની વાત છે. ત્યાં એક દિવસ બપોરના સમયે અચાનક કાકા કાલેલકર આવ્યા. આચાર્યએ કહ્યું, “આપ આ રીતે અચાનક આ ભરબપોરે અહીં ક્યાંથી ?”
કાકા કાલેલકરે કહ્યું, “આચાર્યશ્રી! એક વાત મારા મનમાં ઘુમરાયા કરે છે. જૈનોની પાસે અનેકાન્ત જેવું દર્શન છે. આ દર્શન આજે વિશ્વની ઘણી બધી સમસ્યાઓના સમાધાન માટે સામર્થ્ય ધરાવે છે પણ ખેદની વાત છે કે સમાજ આટલી અસાધારણ પૂંજીનો માલિક હોવા છતાં સુષુપ્ત અવસ્થામાં છે. અનેકાન્ત બાબતે જૈન સમાજ નિદ્રાધીન છે. મારા મનમાં આ વાતને લઈને દર્દ છે અને મારું આ દર્દ કહેવા માટે જ હું આપની પાસે આવ્યો છું. આપ એક સમર્થ આચાર્ય છો. આશા છે કે આપ મારા આ દર્દને સમજશો. આપ આ બાબતે કંઈક કરો.”
જૈન સમાજ ગહનતાપૂર્વક વિચાર કરે કે કઈ રીતે અનેકાન્તને વ્યાપક
૧૨૨
મહાપ્રજ્ઞ વાણી - ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org