________________
છે. અન્યથા આ સંક્રમણકાળમાં જાતીને શુદ્ધ રાખવાનું ખૂબ મુશ્કેલ છે.
ત્રણ વર્ષ પહેલાં અમે બીકાનેર હતા. ત્યાં કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજ દર્શન કરવા આવ્યાં. વાતચીતના ક્રમમાં એમણે એક પ્રસંગ સંભળાવ્યો જે સાંભળીને મારા મનમાં એક વિચાર આવ્યો. એમણે કહ્યું, “આચાર્યજી! હું શુદ્ધ શાકાહારી છું. થોડા દિવસો પૂર્વે હું લંડન ગઈ હતી. ત્યાં એક ડિનર દરમિયાન મેં શુદ્ધ શાકાહારનો આગ્રહ રાખ્યો. મારા માટે તેની વ્યવસ્થા થઈ. ત્યાંથી હું દિલ્હી પાછી ફરી. દિલ્હીની તાજ હોટેલમાં એક કાર્યક્રમ બાદ જમવાનું હતું. મારી બેઠકની પાસે એક જૈન ભાઈ હતા. વેઈટરે આવીને પૂછ્યું કે વેજ કે નોનવેજ?!"
મેં કહ્યું, ‘વેજ! ઓન્લી વેજ.” મારી પાસે બેઠેલા જૈન બંધુએ કહ્યું, “બંને ચાલશે.”
સુષમાજીએ એ જૈન ભાઈને કહ્યું, “હું જૈન નથી પણ જીવનમાં આજ સુધી ક્યારેય માંસાહાર નથી કર્યો. આપ જૈન થઈને પણ ખાનપાનની શુદ્ધિમાં ધ્યાન આપતા નથી. આ આશ્ચર્યની તો ઠીક એનાથી વિશેષ શરમની વાત છે.'
કોઈ અજૈન વ્યક્તિને જૈનની બાબતે આ રીતે વાત કરતા સાંભળીએ ત્યારે મનમાં થાય છે કે આપણે કેવી રીતે પોતાની અસ્મિતાને ખોઈ રહ્યા છીએ. આજે એ વિષય પર ચિંતનની જરૂર છે કે એવી કેળવણી અપનાવીએ કે જેનાથી આચરણ અને સંસ્કારની પવિત્રતા અક્ષુણ્ણ રહે. વિરાસતને સુરક્ષિત સાચવી રાખવાની જવાબદારી દરેક જાતિ અને લોકની હોય છે. આપણે આપણી વિરાસતને, અસ્મિતાને ઝાંખી પાડી રહ્યા છીએ, એ ચિંતાની વાત છે.
મારો અભિમત છે કે ઉચિત શિક્ષણ વગર સંસ્કારોનું નિર્માણ થઈ શકે નહીં. એક વ્યક્તિ સાધુ બને એના માટે પણ યોગ્ય શિક્ષણ-પ્રશિક્ષણની જરૂર હોય છે. અવિરત તાલીમની આવશ્યકતા છે. મુનિ થયા પૂર્વે, મુનિ થયા પછી પણ. સ્વાધ્યાય કરવો એ સાધુનો ધર્મ છે. ધ્યાન એની દિનચર્યામાં સામેલ છે. આ બંને – સ્વાધ્યાય અને ધ્યાન તેની સાધનાનાં મોટા સાધન છે. આગમની
મહાપ્રજ્ઞ વાણી-૬
- ૧ર૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org