________________
“એવી સ્થિતિમાં રોટી છોડી શકાય. અનંત કાળથી મનુષ્ય મૃત્યુના મુખમાં ધકેલાતો રહ્યો છે. ભોજનના અભાવે અમુક લોકો કાળગ્રસ્ત થશે.”
અગર જનતાનો વિશ્વાસ ઊડી જાય તો?' કફ્યુશિયસે ખૂબ ગંભીરતાથી કહ્યું, “એવી સ્થિતિમાં સર્વનાશ થશે. ભોજન અને હથિયારના અભાવમાં શાસન ચાલી શકે છે, પણ જનતાના વિશ્વાસના અભાવમાં એક ક્ષણ પણ ટકી શકાય નહીં.”
વિશ્વાસ બહુ મોટી સંપત્તિ છે, પણ પદાર્થવાદ અને ઉપભોગવાદ વધી ગયો. માણસ એટલો સત્તાપક અને અર્થપરક થઈ ગયો કે એની સામે વિશ્વાસનું કોઈ મૂલ્ય નથી.
આચાર્ય સોમપ્રભજીએ એક સુંદર ગ્રંથ લખ્યો છે – સિજૂરપ્રકર. એમાં લખ્યું છે – વિશ્વાસાયતન વિપત્તિદલનું.
સત્ય શું કરે છે? વિશ્વાસ જન્માવે છે. જ્યાં પ્રામાણિક્તા છે, ત્યાં વિશ્વાસ છે. જૈન શ્રાવકોના ચરિત્ર ઇતિહાસમાં ઉપલબ્ધ છે. એમણે દરેક પ્રકારની તકલીફ સહન કરીને પણ વિશ્વાસની રક્ષા કરી. પોતાનું સર્વસ્વ ગુમાવીને પણ એમણે વિશ્વાસનું જનત કર્યું.
હું ઇચ્છું છું કે જૈનોની ઓળખ એમની પ્રામાણિકતા અને નૈતિકતા બંને, શબ્દ નહીં. ચારિત્ર અને શુદ્ધ આચરણ એક જૈન તરીકે એમની ઓળખ કરાવે. આહારની શુદ્ધતા પણ જૈનોની એક પ્રમુખ ઓળખ હતી. આજના સંજોગોમાં આહારશુદ્ધિના વિષયમાં કાંઈ કહી શકાય નહીં. જૈનોમાં પણ આહારની અશુદ્ધિ આવતી જાય છે. સમાજ એવો સંક્રમણશીલ થઈ ગયો છે કે પોતાની મુખ્ય ઓળખ જાળવી શક્યો નથી. કોઈ ને કોઈ સ્થાન પર બંધ કરી રાખી શકવાનું શક્ય નથી. દેશ-વિદેશમાં નિબંધ રૂપે આવાગમન ચાલુ છે, દરેક પ્રકારના લોકોનો સંપર્ક છે. આવી સ્થિતિમાં પોતાની આસ્થા ટકાવી રાખવી, ચરિત્રને જાળવી રાખવું એક પડકારભર્યું કામ છે. એવા સંજોગોમાં એ જ માણસ પોતાને સુદઢ રાખી શકે છે જેની પાસે સમ્યક્દર્શન છે, જેને ઉચિત-અનુચિત્તનો વિવેક
જૈનદર્શન અને અનેકાન્ત
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org