________________
‘સમ્યક્ શબ્દપ્રયોગ’ શિક્ષણનું માધ્યમ બની શકે છે. સમ્યક્ શબ્દપ્રયોગમાં સચ્ચાઈ હોય, નિશ્ચલ વ્યવહાર હોય, મૃદુતા હોય, સ્પષ્ટતા હોય, છળ ના હોય. એવો શબ્દ શિક્ષણનું માધ્યમ બની શકે. રાજનીતિ અને કૂટનીતિમાં જ નહીં. આજે તો દર્શનના ક્ષેત્રમાં પણ છળપૂર્વક શબ્દોનો ભરપૂર ઉપયોગ થાય છે.
ન
આપણે માત્ર શાબ્દિક શિક્ષણ પર નિર્ભર ન રહીએ. એની સાથે જીવનવ્યવહારને પણ જોડીએ. જીવન-વ્યવહારના શિક્ષણનો ઉપક્રમ ધ્યાનમાં લેવો જોઈએ. જીવનમાં પરિવર્તન આવે એવા પ્રયોગને શિક્ષણ સાથે જોડવા જોઈએ. જ્યાં જ્યાં આપણા જીવનવિજ્ઞાનને શિક્ષણ સાથે જોડવાનું શક્ય થયું છે, વિદ્યાર્થીઓને જીવનવિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવ્યું છે ત્યાં ત્યાં આશ્ચર્યજનક પરિણામ મળ્યાં છે. જીવનનિર્માણ થાય એવા શિક્ષણની આજે તાતી જરૂર છે. સ્વસ્થ સમાજ સંરચના માટે સ્વસ્થ તાલીમબદ્ધ નાગરિક ઘડતર જરૂરી છે. શિક્ષણ દ્વારા સમાજમાં વ્યાપક જાગૃતિ અને પરિવર્તન આવી શકે છે.
હમણાં આપના ગામના સરપંચે અમારું સ્વાગત કર્યું. તેઓ વિદ્યાલયનું સંચાલન પણ કરે છે. તેમને જીવનવિજ્ઞાન બાબતે જાણવાની ઇચ્છા છે. વિદ્યાર્થીના જીવનમાં તેની ઉપયોગિતા વિષે તેઓ માહિતી મેળવવા માગે છે. સ્વસ્થ અને સંતુલિત જીવન માટે જીવન-નિર્માણનું શિક્ષણ આપણી વ્યવસ્થામાં અગ્રતા પામે એ જરૂરી છે.
૧૬ જૂન,
શિક્ષણ સમસ્યા કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
માતેસર
૧૧૫
www.jainelibrary.org