SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ Jain Education International ૧૩ જૈનદર્શન અને અનેકાન્ત મને પ્રસન્નતા છે કે અમે સિદ્ધાંત ક્ષેત્ર તીર્થમાં આવ્યા છીએ. આચાર્ય બાહુબલીજી અહીં બિરાજમાન છે. એમના માર્ગદર્શનમાં અહીં ઘણું કામ થાય છે. આ સ્થાનનું નામ ખૂબ સુંદર છે. જ્યાં સિદ્ધાંત હોય છે, ત્યાં જીવનની દિશાઓ આપોઆપ વિસ્તરે છે. બંધન તૂટી જાય છે. જ્યાં સિદ્ધાંતની સાથે એક સિદ્ધાંતવિદ્ આચાર્ય હોય ત્યાં તો વિશેષ આનંદ. આચાર્ય બાહુબલીજી સિદ્ધાંતવિદ્ આચાર્ય છે. સિદ્ધાંતનો એ સ્વાધ્યાય કરે છે. મેં એમના હાથમાં એક પુસ્તક જોયું. એનું નામ છે ષખણ્ડાગમ. આ એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે, જૈનદર્શનનાં રહસ્યોને સૂક્ષ્મતાથી પ્રતિપાદિત કરનાર ગ્રંથ છે. અમારો દષ્ટિકોણ એ છે કે અમે સિદ્ધાંત, સત્ય અને તથ્યને સામે રાખીએ ત્યાં કોઈ પરંપરા ભેદ સામે ન આવે. પરંપરાઓ અને સંપ્રદાયનું હોવું સ્વાભાવિક છે. એમાં અમને કોઈ આપત્તિ નથી. અનેકાન્તનો દૃષ્ટિકોણ સામે રાખનાર સામે કોઈ મુશ્કેલી નથી. જે વીતરાગને સામે રાખે છે એને કોઈ મુશ્કેલી નથી થતી. સાધના ક્ષેત્રે અનેકાન્ત અને વીતરાગના ક્ષેત્રમાં અનેકાન્ત અને વીતરાગ. આ બે શબ્દોથી વધારે સાર્થક શબ્દ શોધવો મુશ્કેલ છે. જે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશે એ વ્યક્તિનો પ્રયત્ન હોવો જોઈએ કે મારે For Private & Personal Use Only મહાપ્રજ્ઞ વાણી - ૬ www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy