________________
સુકાતો જાય છે. એના વિષે થોડું ચિંતન કરવાની જરૂરત છે. આપણો વ્યવહાર બદલાવો જોઈએ, દૃષ્ટિકોણ, અભિગમ બદલાવો જોઈએ. પરિવાર, ગામ, સમાજથી કપાઈને જીવનમાં કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત થતી નથી. પ્રાપ્ત થઈ જાય તો પણ જીવનમાં એનો અર્થ હોતો નથી. સંતાન પૈસા કમાવાનું મશીન ન બની જાય અને માણસ બને તે જોવાની જવાબદારી મા-બાપની છે. એક ગૃહસ્થનો છોકરો ગાળ બોલતો હતો. અમે તરત ગાળ બોલતા છોકરાને સાંભળીને કહ્યું, “આને ગાળ શીખવવાનું પ્રશિક્ષણ આપી રહ્યા છો કે શું?”
પિતાએ કહ્યું, “નહીં મહારાજ! છોકરો થોડો ક્રોધી પ્રકૃતિનો છે. હું તો બિઝનેસના કામમાં મોટા ભાગનો સમય ઘરથી બહાર રહું છું. ઘરમાં બે નોકરી છે, એમની સંગતિએ આને ગાળ બોલતા શીખવ્યું છે.'
કહો, કોને દોષ આપવો? બાળકને? નોકરને? કે માતા-પિતાને? એના જીવન-નિર્માણ તરફ આંખો બંધ કરીને પોતાના વેપારની ઉન્નતિમાં લાગ્યા હોય? કેળવણીમાં, ઘડતરમાં વાતાવરણ, પરિસ્થિતિઓ અને સંગતિનો પણ પ્રભાવ પડે છે. સારા માણસોના સંગથી સદ્ગુણ વિકસે છે, દુર્જનના સંગથી દુર્ગુણ વિકસે છે. જૂના જમાનામાં બાળકો ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા. પુસ્તકિયા જ્ઞાનથી તેમને પ્રારંભનાં વર્ષોમાં દૂર રાખવામાં આવતા. ગુરુકુળ અને આશ્રમની સફાઈ-સ્વચ્છતાનું કામ શીખવવામાં આવતું. બાળકો ગાયો ચરાવવા જતા. જંગલમાંથી લાકડાં વીણી લાવતા. ગુરુ એમને જીવનવ્યવહારની તાલીમ આપતા. યોગ્ય સમયે તેમનો શાસ્ત્રનો અભ્યાસ શરૂ થતો અને એક વર્ષમાં તેઓ દસ વર્ષની સમજ કેળવી લેતા. સમયની શિસ્ત, સ્વચ્છતા, વાણી-વ્યવહાર વિવેક, વડીલોનો આદર વગેરેથી તેઓ સભર રહેતા. જવાબદારીની સભાનતા અને પરિપક્વ વ્યક્તિત્વની તાલીમ મળતી. * આજે એ જૂની શિક્ષણ પદ્ધતિ ભુલાવી દેવામાં આવી છે. સાવ વિસ્તૃત થઈ ગઈ છે. આજે કોઈ અધ્યાપક વિદ્યાર્થી પાસેથી શારીરિક શ્રમ કરાવવા ઇચ્છે તો વિદ્યાર્થી જ ના પાડી દે અથવા તો વિદ્યાર્થીના વાલી જ ફરિયાદ કરે કે મારા પુત્ર પાસેથી તમે આવું કામ કેમ લો છો? અમે ભણવા માટે ફી ભરીએ છીએ શિક્ષણ સમસ્યા કેમ?
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org