________________
પ્રશ્નકર્તાને જણાવ્યા.
આપણી સામે પણ એવો પ્રશ્ન છે કે કયું ગામ સારું ? ! કયા ગામને હું સારું ગામ કહું ? અને કોને ખરાબ ? સારા અને ખરાબનાં લક્ષણ બતાવી શકાય. એના આધારે આપ નિર્ણય કરો. કસોટીના આધારે સારા-ખરાબનો નિર્ણય શક્ય છે.
મારી દૃષ્ટિએ સારા ગામનું લક્ષણ છે જ્યાં શરાબ ન હોય. જે ગામના લોકો માદક પદાર્થોનું સેવન ન કરતા હોય એ અમારી દૃષ્ટિએ આદર્શ ગામ છે. નશો અપરાધનો જન્મદાતા છે. નશો અને અપરાધ વચ્ચે એકતા છે. જ્યાં એક છે, ત્યાં બીજાની ઉપસ્થિતિ અનિવાર્ય રૂપે હોય છે. બંનેમાં એકતા છે. શબ્દકોશમાં અગર નશાનો અર્થ બીજો છે, અપરાધનો અર્થ બીજો છે, પણ તાત્પર્યની દૃષ્ટિએ નશો અને અપરાધ બંનેમાં કોઈ મુશ્કેલી નથી.
રાજસ્થાનમાં પહેલાં બહુ સારાં-સારાં ગામ હતાં. જ્યાં નશાનું પ્રમાણ નહોતું ત્યાં અત્યારે પ્રોત્સાહન મળે છે. કોઈ અધિકારી ગામમાં આવી નશાનો પ્રચાર કરતો નથી, પણ લાઇસન્સ ઉદારતાથી વિતરિત કરે છે અને પત્રપત્રિકાઓમાં જે આકર્ષક ઢંગથી શરાબનું વિજ્ઞાપન છપાય છે, પરોક્ષ રૂપે સરકારનું પ્રોત્સાહન જ કહી શકાય.
નશાની કથા અને અપરાધની કથા એક સાથે શરૂ થાય છે. સારા ગામનું પ્રથમ લક્ષણ એ છે જ્યાં આવી પ્રવૃત્તિ ન થાય. બીજું લક્ષણ છે શિક્ષણનો વિકાસ. આજે લગભગ દરેક ગામમાં શાળા છે. શિક્ષણની વ્યવસ્થા અને શિક્ષણનું સ્તર પણ વધી ગયું છે પણ શિક્ષણ માત્ર વિદ્યાર્થીઓ માટે જ હોવું જોઈએ. વીસ-બાવીસ વર્ષ થઈ જાય, સ્નાતક થવાય, અનુસ્નાતક થવાય, પીએચ.ડી. થવાય એટલે શિક્ષણનું કામ પતી ન જાય. શિક્ષણને સ્થાન, અવસ્થા અને શ્રેણીની સાથે જોડી બહુ મોટી ભૂલ થઈ છે. પરીક્ષા સાથે શિક્ષણને જોડવું એ પણ ભૂલ છે. શિક્ષણ તો જીવનભર ચાલતી પ્રક્રિયા છે. માણસ ચાલીસ, પચાસ કે પંચોતરનો થાય ત્યારે પણ એનું શિક્ષણ ચાલતું રહેવું જોઈએ. સાઠ વર્ષ પછી કેળવણી તેનો અસલી રંગ બતાવે છે. એ સમયે પરિપક્વતા આવે છે.
શિક્ષણ સમસ્યા કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
૧૦૯
www.jainelibrary.org