________________
એક બાળકની સરળતામાં કોઈ ફરક હોતો નથી. ઈસુએ કહ્યું છે કે ઈશ્વર સમક્ષ જવાનો સાચો અધિકાર એક માત્ર બાળકને છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં જણાવ્યું છે કે – “ધમ્મો સુદ્ધસ્ટ ચિટલઈ ધર્મ ક્યાં ટકે છે? શુદ્ધ ચિત્તમાં ટકે છે. ચિત્ત શુદ્ધ છે તો પરિવારમાં શાંતિ રહે છે, સમાજ અને દેશમાં શાંતિ રહે છે. મુશ્કેલી એ છે કે માણસ બધું છોડી શકે છે પણ અહંકારને છોડી શકતો નથી. ખરેખર છોડવા યોગ્ય હોય તો અહંકાર જ છે.
અમુક લોકો સ્વાભિમાની હોવાનો દાવો કરે છે. સ્વાભિમાની હોવું એ અલગ વાત છે અને અભિમાની હોવું અલગ વાત છે. સ્વાભિમાનની આડશે અહંકારને પોષવો એ અજ્ઞાન છે, અવિવેક છે. સાચી વાત તો એમ છે કે જ્યાં સુધી અહંની ભાવના છે, સ્વાભિમાન જાગૃત જ નહીં થાય. આપણે કઈ રીતે અહ વિલયની સાધના કરવી? કઈ રીતે આપણી નમ્રતાનો વિકાસ કરવો? વિનમ્રતાનો મતલબ જ છે અહંકારનો વિલય. બહારથી આવેલી બધી વસ્તુનો વિલય, માત્ર શુદ્ધ ચેતના રહે, બસ. આ શુદ્ધ ચેતના જાગૃત થાય તો આપણે કહી શકીએ કે – આત્મવિદૂ સઃ સર્વવિદ્
૧૫ જૂના
આત્મવિધસર્વવિધ
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org