________________
નાગિરકોને શેઠે ભોજન માટે આમંત્રિત કર્યા. તેઓ સંગેમરમર અને કાચની કારીગરીથી નિર્માણ પામેલ પોતાનું ભવ્ય ભવન બધાને બતાવવા ઇચ્છતા હતા. પુરોહિત પંડિતજીને તેમણે દક્ષિણામાં સોનાની સાંકળી ભેટ આપી. શેઠને એમ હતું કે પંડિતજી મારી ઉદારતા અને કૃપા પર ગદ્ગદ્ થઈ જશે પણ પંડિતના ચહેરા પર કોઈ ભાવ ન આવ્યો. શેઠે કહ્યું, “ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરાવવાની દક્ષિણા સ્વરૂપે આ સોનાની સાંકળી હું આપને પ્રદાન કરું છું.” - ત્યાં ઉપસ્થિત મહેમાન સમુદાયે તાળીઓનો ગડગડાટ કર્યો. - પંડિતજીની મુદ્રા તો પણ અપ્રભાવિત રહી. કોઈ જ્ઞાની પંડિત હોવો જોઈએ. અન્યથા યજમાન દ્વારા સો-સવાસો રૂપિયા મળે કે પંડિતજી આશીર્વાદ આપવા તત્પર થઈ જાય છે. પંડિતજીને નિરુત્સાહ જોઈ શેઠ તો અહંકારથી બોલ્યા, “પંડિતજી ! આપે આજ સુધી ઘણાને ત્યાં પૂજા-પાઠ કર્યા હશે. કોઈ એવો દાની આપને મળ્યો છે આજ સુધી કે જેણે સોનાની સાંકળી ભેટ કરી હોય?
પંડિતજીથી આખરે રહેવાયું નહીં. શેઠજીને એમની ભાષામાં જવાબ આપવો જરૂરી હતો. તરત પોતાના ખિસ્સામાં હાથ નાખી એક રૂપિયો કાઢ્યો અને શેઠ સમક્ષ મૂકી કહ્યું, “શેઠ આપની સુવર્ણ સાંકળમાં એક રૂપિયો ઉમેરી આપને સાભાર પરત કરું છું અને આપને એક પ્રશ્ન પૂછું છું કે શું આજ સુધી આપને આવો કોઈ પંડિત મળ્યો છે કે નહિ?”
શેઠનો બધો અહંકાર ચૂરચૂર થઈ ગયો. અહંકારના વિલયનું સ્થાન છે માત્ર ત્યાગ અને સંયમ. સામાજિક ક્ષેત્રમાં, ધાર્મિક ક્ષેત્રમાં, વ્યાપારિક ક્ષેત્રમાં અને રાજનૈતિક ક્ષેત્રમાં કામ કરનાર લોકો આ અહંકારના રોગથી ગ્રસ્ત છે. એમની સામે ઘણી સમસ્યા છે. એનાથી મુક્તિ મેળવવાનો કોઈ રસ્તો સૂઝતો નથી.
ભારતની સંત પરંપરામાં ઘણા વિદ્યુત સંત થયા છે જેમનું જીવન પૂર્ણતઃ અહંકારશૂન્ય હતું. એમની પાસે જ્ઞાન હતું, અહંકાર ન હતો. એક વાત નક્કી છે કે ઘણી સમસ્યાઓ, ઘણા તર્ક અને પ્રશ્ન તથા મૂંઝવણો અહંકારના કારણે પેદા થાય છે. અહં માણસની અંદરથી નીકળી જાય તો પછી એની સરળતા અને
મહાપ્રજ્ઞા વાણી -૬
૧૦૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org