________________
સત્તાની સાથે જોડાયેલ છે.
રાત્રિના સમયે રામકૃષ્ણ પરમહંસ ગુરુ તોતાપુરીની સાથે અધ્યાત્મની ચર્ચા કરી રહ્યા હતા. ઠંડીનો સમય હતો. પાસે જ ધૂણી ધખાવી હતી. બાગની દેખભાળ કરનાર માળી આવ્યો અને ધૂણીમાંથી આગ લઈને પોતાની ચલમ ભરવા લાગ્યો. એમણે તેને ધમકાવ્યો અને એક લાફો મારી દીધો. માળી રડમસ થઈને જતો રહ્યો.
પરમહંસ એકાએક હસી પડ્યા. તોતાપુરીએ કહ્યું, “આ અસ્પૃશ્ય નોકરે ધૂણીની આગને સ્પર્શવાની ધૃષ્ટતા કરી, જેનો મેં ઉચિત દંડ આપ્યો, પણ તમને હસવું શી વાતનું આવ્યું?
રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, “મને તો આજે જીવનમાં પહેલી વખત એ ખબર પડી છે કે કોઈ ચીજ માત્ર સ્પર્શ કરવાથી અસ્પૃશ્ય થઈ જાય. એની સાથોસાથ આપના બ્રહ્મજ્ઞાનની વાસ્તવિકતાની પણ જાણ થઈ. હમણાં ચર્ચા દરમિયાન આપ, “એકોડહં દ્વિતીયોનાસ્ત”નો પ્રબળ પક્ષ લઈને દલીલ કરી રહ્યા હતા કે સમગ્ર જીવ-જગત એક બ્રહ્મના પ્રતિબિંબ સિવાય કાંઈ નથી અને બીજી તરફ ધૂણીની આગને સ્પર્શ કરનાર નિર્દોષ માળીને આપે ફટકારી દીધો. આ વાત મારી સમજમાં આવી નહિ. મને માત્ર એટલું સમજાયું કે દોષ આપનો નથી. આમ થવાનું કારણ આપની અંદર આસનસ્થ અહંકારના કારણે થયું છે. જેથી આપના માટે સહન કરવાનું સંભવ જ રહ્યું નથી.”
તોતાપુરીને પોતાની ભૂલનું ભાન થયું. તેઓ પોતાના કૃત્ય પર લજ્જિત થયા અને રામકૃષ્ણને આ ઘટના ભૂલી જવા માટે કહ્યું. - જે તત્ત્વ અહંકારને પોષણ આપનાર છે, એને નષ્ટ કર્યા વગર અહંકારનો વિલય કઈ રીતે થાય? અહંનો વિલય ત્યાગની સામે થાય. એક સત્ય ઘટના છે. એક શેઠે પંડિતજીને કથાપૂજા કરવા આમંત્રિત કર્યા. પંડિતજી આવ્યા અને અનુષ્ઠાન પૂરું કરાવ્યું. પૂજા-પાઠ તો એક બહાનું હતું ખરેખર તો પૂજા-પાઠની આડશે શેઠને પોતાના અહંકારનું પ્રદર્શન કરવાનું હતું. નગરના સંભ્રાંત
આત્મવિધવવિધ
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org