________________
પ૬
ભયંકર નહિ માનવાથી એને કાઢવાના નહિ. તેથી હૈયાના ઊંડાણમાં એ રમ્યા કરશે. પછી ત્યાં વીતરાગ ભાવ કદીય ક્યાંથી આવે ? એ તો પ્રાથમિક અવસ્થામાં પ્રભુનો રાગ. પ્રભુના દર્શન-પૂજનઉત્સવ કરવાનો ઝળહળતો રાગ કેળવશે. તો પેલા ધનાદિના રાગ ઓછા થશે; તો કોક દિ ઠેકાણું પડશે. માટે દરેકને જે એ વીતરાગીદશા, નિરાલંબન-દશા, નિર્વિકલ્પ-દશા વગેરે ઉપદેશ્યા કરે છે, તે સામાની ભાવ-કતલ કરવાનું કાર્ય છે; શાસ્ત્રીય રીતિ-નીતિનું સરાસર અજ્ઞાન છે, એથી જીવમાં કક્ષા મુજબ કેવી કેવી રીતે શી શી પ્રગતિ શક્ય છે એનું ભાન નથી.
કક્ષાઓ કઈ કઈ?:–અસલ જૈનમત મુજબ સાધક આત્માઓની જુદી જુદી કક્ષાઓ અર્થાત્ અવસ્થાઓ અને તેને તેને યોગ્ય આરાધનાઓ સ્વીકારેલી છે. દા.ત. અપુનબંધક અવસ્થા, માર્ગાનુસારી અવસ્થા, સમ્યકત્વ અવસ્થા, દેશવિરતિ અવસ્થા, સર્વવિરતિ અવસ્થા વગેરે પાછી એકેકમાંય અવાજોર અવસ્થાઓ હોય છે. દા.ત. દેશવિરતી (શ્રાવક) અવસ્થામાં પ્રભુપૂજન-અવસ્થા, સામાયિક-પૌષધ અવસ્થા, ગૃહસ્થ શ્રાવક અવસ્થા વગેરે. આ દરેક અવસ્થાને યોગ્ય જુદી જુદી ફરજ અને આરાધનાઓ છે. એનો શંભુમેળો ન કરાય.
કાભેદે સાધનાભેદના દષ્ટાન્ત – દા.ત. પ્રભુપૂજનની અવસ્થા વખતે અર્થાત્ જિનમંદિરમાં હોય ત્યારે મંદિર અને પ્રભુપૂજા અંગેની પ્રવૃત્તિ આદરણીય છે. પણ ઘર સંબંધી પ્રવૃત્તિ ત્યાજ્ય છે. એટલે ત્યાં કોઈ સાધર્મિક મેમાન આવી ચઢે તો એના સન્માનનું કાર્ય ભલે ધાર્મિક હોવા છતાં એ ત્યાં નથી કરવાનું. પરંતુ જ્યારે દેરાસરની બહાર ઘરબારી અવસ્થામાં છે, ત્યારે એ સાધાર્મિકના સન્માનાદિનું કાર્ય અવશ્ય આદરણીય છે, એવું જ પ્રભુને પ્રક્ષાલ-પૂષ્પપૂજા વગેરે પોતે પૂજાથે મંદિરમાં હોય ત્યારે ખાસ આદરવા યોગ્ય છે, પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org