________________
૫૪
બાળ જીવને માટે જે વસ્તુ અમૃત સરખી આદરણીય છે તે ઉપરની કક્ષાના ઉન્નત જીવને માટે ઝેર સરખી ત્યાજ્ય છે. દુનિયામાં પણ આવું બહુ અનુભવાય છે.
(૧) નરમ હોજરીવાળાને મગના પાણી જેવું જે સેવવા યોગ્ય છે, તે એની જ હોજરી સતેજ બન્યા પછી ત્યાજ્ય બને છે, અને હવે સારાં ઘી-દૂધ સેવ્ય બને છે. એ ઘી-દૂધ જો પૂર્વાવસ્થામાં અપાય તો હોજરી વધુ ખરાબ થઈ મહારોગ નીપજે. એ પ્રમાણે.
(૨) ગુજરાતી ચોથીમાં ઇતિહાસ-શિક્ષણની રીત જાદી, મેટ્રિકમાં જાદી, અને પી.એચ.ડી.માં જુદી. ત્યાં પરસ્પરમાં શંભુમેળો કરે તો લાભને બદલે નુકસાન થાય. ગુજરાતીમાં કથાશૈલી હોય છે. મેટ્રિકમાં પ્રસંગો તથા મોટી મોટી રાજનીતિના શિક્ષણ હોય છે, પી.એચ.ડી.માં રીસર્ચ એટલે કે સંશોધન દૃષ્ટિથી સૂક્ષ્મ નીતિઓ, લોકપદ્ધતિ, માનસ અધ્યયન વગેરેના શિક્ષણ હોય છે ત્યારે,
(૩) નાનું બાળક જે રીતે માતાનો ખોળો ખૂંદે છે, તે રીતે કુમાર થયા પછી નિહ. તેમ નાની કુમાર અવસ્થામાં જે રીતે માતાને ભેટે છે, તે રીતે યુવાન બન્યા બાદ નહીં. યુવાનીમાં તો માતાની સામે બહુ વિનયથી ગંભીરતાએ મર્યાદાશીલ વર્તાવ રાખે તો શોભે છે. ત્યાં પૂર્વાવસ્થા જેવા ચાળા કરે તો કઢંગો લાગે. તેમ બાળ અવસ્થામાં જો ગંભીર બની માતાથી મર્યાદાસર આઘો ને આઘો રહે તો માતાનો પ્રેમ નહિ મેળવી શકે.
પોતાના કુમતમાં સ્થિરતા સાધવા કક્ષાને યોગ્ય સાધના સ્વીકારે છે :– બસ, આ રીતે સાધક આત્માની કક્ષાની મુજબ સાધનાની રીતિભાતિ હોય છે. એમણે પણ શું રાખ્યું છે ? એ જ કે “નવો માણસ આવે એની કક્ષા અત્યંત નીચી છે, માટે એણે એકવાર તો ‘બાબા વાક્ય પ્રમાણં' કરી સાંભળ્યે જ જવું જોઈએ. તો જ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org