________________
પ૩
એ સેવવાનું એના પર દૃઢરાગ થયા વિના ન બને. માટે જ શુભનો રાગ અતિ આવશ્યક છે. સોનગઢમાં આવનારા રાગથી જ આવે છે. નવાને લાવવા માટે રાગ જગાવવાના પ્રયત્ન થાય છે. અંતે ત્યાજ્ય છતાં નીચેની કક્ષામાં શુભરાગ ઉપાદેય છે.
કળા-કારીગરીનું દષ્ટાન્ત - ત્યારે શિલ્પી-ચિતારા વગેરેની કળા-કારીગરી શીખવામાંય શું છે ? પહેલે તડાકે અતિ સૂક્ષ્મ વસ્તુ નથી શિખવાતી કે નથી શીખાતી. અતિ સૂક્ષ્મ કારીગરીમાં ટાંકણોહથિયાર વગેરે બહુ કોમળતાથી ચલાવવાના હોય. પણ પહેલેથી જ જો એવી કોમળતા શિખવે, તો કારીગરીમાં પહેલપહેલું તો જે મજબૂત સ્થિર હાથ તૈયાર થવો જોઈએ તે જ ન થાય. એ માટે તો પહેલાં સ્થૂલ કળા શિખવાય છે, પછી ક્રમસર સૂક્ષ્મ-સૂક્ષ્મ શિખવાતી જાય. એમ વીતરાગતાની કળા એ સૂક્ષ્મ કળા છે. એ માટે પહેલાં તો દુન્યવી પૌલિક રાગ તોડવા વૈરાગ્યની સ્થૂલ કળા શિખવવી પડે. એ માટે ધર્મક્રિયાઓ રૂપી ધૂલ હથિયારો જોઈએ. એમાં આગળ વધતાં વધતાં શુક્લધ્યાનને અને ભવમોક્ષ ઉપર સમતાયોગના સૂક્ષ્મ હથિયારની કળા હસ્તગત થાય છે, અને વીતરાગતાની નિષ્ણાતગિરિ મળે છે.
આવાં તો કઈ દૃષ્ટાન્તો દુનિયામાં નજરે અનુભવાય છે. ધર્મસિદ્ધિમાં એ રીતે જ આગળ વધાય છે. એમ ઉન્નતિ સાધેલાઓના પૂર્વના અનંત દષ્ટાન્ત છે. વર્તમાનમાં સેંકડો હજારો દૃષ્ટાન્તો છે. - સાધના જીવની કલાને યોગ્ય જ જોઈએ - એકનું અમૃત એ બીજાનું ઝેર - ઉન્નતિ સાધવામાં આ ખાસ ધ્યાન રાખવાનું ક ઉન્નતિનો ઉપાય જીવની કક્ષા મુજબનો હોવો જોઈએ. શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુએ પણ કક્ષા મુજબના ઉપાય ઉપદેશ્યા છે, એનો અભ્યાસ કરીએ તો દેખાય કે નીચેની કક્ષાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org