________________
૫૨
પ્રમાણે રાગ-દ્વેષના તાવ કાઢવા માટે અને વીતરાગતાનું આરોગ્ય મેળવવા માટે પહેલાં પૌદ્ગલિક રાગ-દ્રુન્યવી રાગ-દેહાદિના રાગના ક્ષત (ઘા) રૂઝવવા જોઈએ. એ માટે આત્મિક રાગ-પરમાત્મશાસન રાગ-મોક્ષરૂચિ વગેરે વધારનારી ધર્મક્રિયાઓ કક્ષાનુસારે ખૂબ આચરાવી જોઈએ. ‘કક્ષાનુસારે’નો વિચાર ગંભીર છે. એને આગળ વિચારીશું. પણ એટલું ચોક્કસ કે ધર્મક્રિયાઓ ખૂબ જરૂરી છે. બાકી ‘ધર્મક્રિયા પર પણ રાગ થાય તેય ખોટો છે, માટે સર્વથા રાગ છોડો' એમ કરવા જાય તેના ક્ષત અંદરખાને વધતાં ભાવમૃત્યુ થાય.
જ્ઞાનાભ્યાસનું દૃષ્ટાન્ત – નિશાળમાં વિદ્યાર્થી પણ ક્રમસર આગળ વધતાં વધતાં મોટી ડિગ્રી મેળવે છે. એને બદલે ‘એકદમ જ મોટી ડીગ્રી લેવા ઊંચો અભ્યાસ કરી લઉં.' એમ કરી બાળપોથીની કક્ષામાં મેટ્રિકનો ચોપડો લઈ મહેનત કરવા લાગે તો જિંદગીભર મૂર્ખ રહે કે બીજું કાંઈ થાય ? એવુંજ વીતરાગતાની ડીગ્રી લેવા અંગે સમજવાનું છે, બાળ વિદ્યાર્થીને, ‘બાર ૬ ચોવીસ' શા માટે, દુ ‘બાર દુ પચીસ’ કેમ નહિ, એના હેતુ વગેરેનું જ્ઞાન ન કરાવાય, એનું અજ્ઞાન રખાય, તો જ એનું કોમળ નાજુક મગજ વગ૨ કંટાળ્યે, પહેલાં આંક એમને એમ મોઢે ગોખી તૈયાર કરી શકે. પછી એમ જ ક્રમસ૨ ગણિતશાસ્ત્રમાં આગળ વધતાં વધતાં હેતુ-યુક્તિ વગેરે સમજી, અજ્ઞાન ટળી શકે. એ પ્રમાણે ધર્મખાતામાં બાળજીવોને વીતરાગતાની ડિગ્રી લેવા પૂર્વે શુભ આલંબનનો રાગ રાખવો જ પડે. તો જ એ અશુભ રાગ ને તોડતો તોડતો આગળ વધી શકે. પછી જ સંપૂર્ણ રાગનો નાશ કરી શકશે. અનંતકાળનો અભ્યસ્ત અશુભ રાગ એમ એકમદ જાય એવો નથી. કેમકે અશુભ આલંબનોથી એ તોષાયો-પોષાયો છે; અને અહીં અશુભ આલંબનો સેવવાનું ચાલુ છે, પછી શી રીતે રાગ હટે ? એને હટાવવા માટે અશુભ આલંબનો છોડવા જોઈએ. એ માટે શુભ આલંબનો દૃઢપણે સેવવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org