________________
૪૮
માયાચાર ! પરંતુ એ ન સેવો તો જાઓ ક્યાં ? કેમકે મનમાં એ ભય છે કે,
“રખેને આવો બધો વ્યવહાર ન કરીએ, તો જીવો આ જાણવા સાંભળવા આવે નહિ; તો આપણું નવું તત્ત્વ (!) સમજે નહિ; તો આપણું માનેલું સમ્યગ્દર્શનાદિ પામે નહિ. તેથી આપણો વાડો જામે નહિ. એમને એમ ખાલી જંગલમાં ઝાડ નીચે બેસી પ્રવચન કરીએ તો કોઈ આવે નહિ. એ તો આજનો નવો યુગ છે. માટે ભભકાબંધ હૉલ, તેય રેલ્વે સ્ટેશનની નજીકમાં જોઈએ. એમ આવના૨ને જમવા કરવાનું બધું પોતાના માથે હોય તો ન એટલા બધા લોક આવે, કે આવેલા ન લાંબુ રહે. તેમ ખાલી ખીચડી-શાક કે રોટલોશાક હોય તોય ન રહે. માટે શીરાપુરીના આકર્ષણ-અથવા આપણું સાંભળતા હોય, માનતા હોય, એની ભક્તિ તો કરવી જ જોઈએ ને ? તો એ બીજાને પણ ખેંચી લાવે, અને પોતાનેય માર્ગ સ્થિરતા રહે. આવેલા બીજાનેય આપણા માર્ગની પ્રાપ્તિ થાય, તો આપણા ટોળામાં ભળે...’
આવું આવું નાભિમાં બેઠું છે, માટે એ બધો વ્યવહારમાર્ગ પૂરજોશથી આદરો છો. અરે ! માર્ગને સમજાવનારી મુખ્ય ક્રિયા જે પ્રવચન કરવું, એ ય જો બાહ્ય ક્રિયા અને વ્યવહાર છે, તેથી જ એના આશ્રયે મોક્ષમાર્ગ નથી, એટલે કે એ પ્રવચન પણ જો મોક્ષ માટે નથી, તો એ પ્રવૃત્તિ શું પોતાના સંસાર માટે છે ?
હજી સ્વસિદ્ધાંત વિરૂદ્ધ પ્રવૃત્તિનું વળી એક દૃષ્ટાંત જીઓ :– (૧૪) આજ અંકમાં એકાંત નિશ્ચયવાદી લખે છે કે જૈનદર્શનના અભ્યાસ માટે શિક્ષણવર્ગ ખોલવામાં આવશે. મઠમાં વળી જમવાની તથા રહેવાની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી થશે.” જૈનદર્શનનો અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org