________________
४७
બહુ પોપ્યું. હવે આ વ્યવહારો છોડો. હવે સોનગઢ આવો નહિ, પ્રવચનો સાંભળો નહિ, આત્મધર્મ, સમયસારાદિ વાંચવાનો વ્યવહાર મોક્ષમાર્ગ માટે નકામો છે. તો તે છોડો.”શ્રોતાને એમ કહો છો ખરા ? ના, પુણ્યક્રિયાઓ અર્થાત્ તારક ધર્મક્રિયાઓ છોડવાનું કહો છો. આ કેવો તમારો માયાચાર ? તમે સેવરાવતા વ્યવહાર માટે તો ઉલટું બોળા લોકને એમ ઠસાવો છો, કે “જો જો હોં, બીજા કહેવાતા આગમો મોક્ષશાસ્ત્રો નથી. આ કુંદકુંદ ભગવાનના આગમ એ સાચાં મોક્ષશાસ્ત્ર છે. એનાથી ભવ્યજીવને બહુ ઉપકાર છે. માટે એને ખૂબ ખૂબ સાંભળો, વાંચો અને વિચારો...” કહો જો, આમ એનો આગ્રહ કેમ કરો છો ? ત્યારે જો એમ કહો કે “એય વ્યવહારથી, અર્થાત્ ઉપચારથી.” તો એનો અર્થ એ થયો કે એનું કોઈ પ્રયોજન નથી. તો એવા આગ્રહપૂર્વકના કથનનું સાચું પ્રયોજન ન રહેવાથી, એ કથન બકવાટ જેવું થશે ! “પ્રયોગનમન્તરેખ ને મન્વોડપ પ્રવર્તતે' એ ન્યાયે એ કહેવાની પ્રવૃત્તિ ઉન્મત્તપ્રલાપ જેવી ઠરશે ! એ પ્રવૃત્તિ માત્ર મન્દ નહિ, પણ મદન્તર, અર્થાત્ અત્યંત મહામૂર્ખની પ્રવૃત્તિની કોટીમાં જશે.
નિશ્ચયના વાડામાં વ્યવહારની થોકબંધ લીલા - (૧૩) સમયસાર વગેરે ગ્રન્થોના ભભકાબંધ આકર્ષક પ્રકાશન, દૈનિક-માસિક પત્રના સંચાલન, ગામેગામ પ્રચાર અર્થે આડંબરી પર્યટન અને ભાષણ; નવી નવી યોજનાના આયોજન, રચના, ગામેગામ સ્વાધ્યાયમંદિર અને દિગંબર દેરાસરોના નિર્માણ, સોનગઢમાં પ્રવચન સાંભળવા આવીને રહેનારને શીરાપુરીના જમણ-આ બધો ભરપૂર બાહ્ય ક્રિયાનો ઠઠારો અને બહારનો પૌદ્ગલિક વ્યવહાર શા સારું? મોઢે બોલવામાં તો “વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ માને તે વ્યવહાર મૂઢ.” પણ કરણીમાં વ્યવહારના જ અનેકાનેક માર્ગોનું સેવન !! કેવો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org