________________
આત્મધર્મ છે, તે જ્ઞાનને પુસ્તકમાં કે શબ્દમાં સંઘરી શકાય? શબ્દ કે પુસ્તક તો પરદ્રવ્ય છે. વળી શું ભવ્યજીવને એ પરદ્રવ્યભૂત બાહ્યઆગમથી અને એના વાંચન-શ્રવણરૂપી બાહ્ય ક્રિયાકાંડથી ઉપકારથઈ શકે ? અર્થાત મોક્ષમાર્ગ નીપજે ખરો? જો નીપજે તો સ્વસિદ્ધાન્ત વિરોધ ! જો એથી મોક્ષમાર્ગ ન નીપજે તો ઉપકાર શો? જે ઉપકાર નહિ, તો “અમાપ ઉપકાર કર્યો છે” એવું કહેવામાં તમે અસત્ય બેલી રહ્યા છો, મૃષાવાદી છો. જો કહેશો, કે
પ્ર. – ના સાચું કહીએ છીએ. વ્યવહારથી ઉપકાર છે ને?
ઉ. – તો એવો ઉપકાર પણ મોક્ષમાર્ગ માટે જરૂરી માનો ને ? બસ, એ જ રીતે પ્રભુભક્તિ, સામાયિક, વ્રતપચ્ચખાણ, દાન, શીલ, તપ વગેરે ધર્મક્રિયારૂપી વ્યવહારોનો તથા આચારાંગાદે શાસ્ત્રકારોનો ઉપકાર માનવામાં ક્યાં વાંધો આવે છે ? મોક્ષમાર્ગ પ્રત્યે ભલે વ્યવહારથી ઉપયોગી એવા પણ એ ધર્મક્રિયાના વ્યવહાર તરફ દ્વેષ શા માટે કરી રહ્યા છો ?
ત્યારે શું તમારો માનેલો અને તમારાથી આચરાતો વ્યવહાર એ ઉપયોગી? અને શ્રી સર્વજ્ઞકથિત વ્યવહાર અનુપયોગી?
અથવા શું તમારે ત્યાંનો વ્યવહાર નિંદવા યોગ્ય નહિ ? ને શ્રી જિનોક્ત પવિત્ર પંચાચારનો વ્યવહાર પેટભરીને ગાળો દેવા યોગ્ય ? તમે શ્રોતાને એમ કહો છો, કે “જો, જો, બાહ્ય તપ-જપ-સામાયિક-પ્રતિક્રમણાદિ પુણ્યક્રિયાઓથી મોક્ષ મળે છે,–એવું માની માનીને મિથ્યાત્વ બહુ પોપ્યું અને એ જડ ક્રિયાઓમાં બહુ રાઓ. હવે એ છોડો.”
પરંતુ એમ કેમ કહેતા નથી, કે જો “જો જો હોં, બાહ્યક્રિયાઓ જેવી કે સોનગઢમાં આવવું, પ્રવચનો સાંભળવા સમયસારાદિ વાંચવા, ધૂન જગાવવી, બીજાને આકર્ષવા...ઈત્યાદિમાં રાચી રાચીને મિથ્યાત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org